Book Title: Vividh Vishay Vicharmala Part 06
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 323
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઢીલ કરી છે. વળી હવેના ચામડા બહુ જ ખરાબ આવે છે, તેથી પગરખા પહેરતા પગમાં ફરફોલા પડે અને બહુ જ દુઃખી થવું પડે અને દુ:ખ સહન કરવું પડે આવું કરતા ઉઘાડા પગે ચાલવું શું ખોટું ? કારણ કે તેમ કરવાથી કોઈ ચોરી જશે આવો ભય બીલકુલ રહેતો નથી. કદાચ કાંટા વાગે તેની હરકત નથી. વળી મારા રંગમહેલના દરવાજાના બારણા તો સદાય બંધ રહે છે, કારણ કે ગામમાં તો આપણી પ્રશંસાની પ્રથા પથરાઈ રહેલી છે.કદાચ કોઈ ભૂલેચૂકે માગણ માગવા આવે તો તેને બિચારાને ભાનભૂલા થઈ પોતાનું ભાજન છોડી દઈને નાહક નાસવાનો જળકત આવે છે, કારણ કે મેં કૂતરો એવો સરસ પાળેલો છે કે તે ડેલીમાં છાની રીતે છાનોમાનો બેસી રહે છે અને કોઈ માગણ કે બ્રાહ્મણ માગવા આવે ત્યારે કૂતરો તેને એવું બચકું ભરે છે કે આવનાર બિચારો તોબા પોકારી ભીખ માગવાનું ભાજન પણ મૂકી દઇ પલાયન થઇ જાય છે તેથી આપણને તો બમણો લાભ જ થાય છે. બ્રાહ્મણની તાંબડી પણ બચે છે ને લોટ પણ બચે છે. વળી કોઈ આવીને આ સંબંધી પૂછપરછ કરે તો બંદો તો રૂવાબમાં ને રૂવાબમાં એવો જવાબ આપે કે અહીં તાંબડી નથી વળી નિરંતર આવી રીતે ઇશ્વર એકદા જણને ભેટાડી દે તો ઘરમાંથી એક પાઈ પણ ખર્ચ થાય નહિ. વળી કૂતરાને જો છોડી મૂકીએ તો ગામમાં જઈ પોતાનો નિર્વાહ પણ કરી આવે અને મોઢામાં ઘાલી એકાદ રોટલો લેતો પણ આવે તેથી આપણે મહાન ભાગ્યશાળી ગણાઇએ. વળી અત્યારે મારી ગાંઠે એક લાખ રૂ.ની મૂડી છે. તેને ગામના લોકો દેખી શકતા નથી પણ તે પૈસા કાંઇ કોઇના પાસેથી ઉછીના લીધા નથી કે લોકો દેખીને મારા ઉપર અદેખાઈ કરે, કારણ કે મહામહેનતવડે કરીને હજારો પ્રપંચ કરીને આટલી લક્ષ્મી ભેગી કરી છે. વળી દુનિયાના લોકો મહામૂર્ખ છે તેથી જ તેઓ બોલે છે કે પાપ કરે તો નરકે જવું પડે, પણ તે વાત ખોટી છે, કારણ કે સ્વર્ગ નર્ક તો અહી જ છે. આ છેલ્લા શબ્દો તેના મુખમાંથી નીકળે છે તેવામાં ૩૦૦ 300 રૂ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348