________________
છે, એ નિશ્ચિત થાય છે. અને આ શ્લોકની બીજી પંક્તિમાં તેઓશ્રી પોતે જ કહે છે કે તેમની ઉંમર ૮૫ વર્ષથી વધારે હતી ! તો પછી, મહદંશે સ્વીકૃત ૩૨ વર્ષનાં આયુષ્યનો મેળ, ઉપર્યુક્ત તેમનાં પોતાનાં જ વિધાન સાથે, કેવી રીતે બેસે ?
અને તેઓશ્રી જો આટલું લાંબું ન જીવ્યા હોય તો, આ વિશેનું આવું ખોટું વિધાન, આ શ્લોકમાં, તેમણે શા માટે કર્યું ?
પરંતુ ૩૨ વર્ષનાં તેમનાં આયુષ્યના મતને વળગી રહેનારા એક આધુનિક વિદ્વાને તો, આ શ્લોક આચાર્યશ્રી-રચિત નથી, પણ કોઈ દીર્ઘાયુ આચાર્યે પ્રાર્થનામાં અંગતપણું લાવવા ઊમેરી દીધો હશે ! એવો પોતાનો અભિપ્રાય આપી દીધો છે. (જુઓ : આદિ શંકરાચાર્ય ઃ દ્વાદશ શતાબ્દી સ્મૃતિગ્રંથ. ગુજરાતી-અનૂદિત આવૃત્તિ, ૧૯૯૫. સંપાદકો : ગૌતમ પટેલ, ઊર્મિ સમીર શાહ, પૃ. ૧૦૩.) આચાર્યશ્રીનાં આયુષ્યની અવધિ વિશે આવું મત-વૈવિધ્ય હતું. આચાર્યશ્રીનાં જન્મસ્થળ વિશે આ બે મત પ્રચલિત છે :
એક આનંદિરિ અનુસાર, તામિલ-પ્રાંતનું ચિદમ્બરમ્-નામનું સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર;
બે : મોટા ભાગના અન્ય વિદ્વાનોના મત પ્રમાણે, કેરળનું કાલટી (અથવા કાલડી) ગામ.
—
આચાર્યશ્રીનાં માતાનાં નામ વિશે આ પ્રમાણે આટલા ભિન્ન મત છે : (૧) માધવ પ્રમાણે : “સતી”
(૨) આનંદગિરિ પ્રમાણે : “વિશિષ્ટા”
(૩) કેટલાક ચરિત્રકારો પ્રમાણે : “આર્યામ્બા”
(૪) એક મત પ્રમાણે : કોઈક દરિદ્ર બ્રાહ્મણ - વિધવા (નામ મળતું નથી.) તેમના બ્રહ્મલીન થવાની બાબતમાં પણ આટલું મતવૈવિધ્ય છે :
(૧) કેરળના ગોવિંદનાથ યતિ રચિત “શંકરચરિતમ્' પ્રમાણે, કામકોટિ પીઠ અનુસાર અને આનંદિગરના ‘શંકરવિજય’ મુજબ, ‘દક્ષિણ કૈલાસ’ કહેવાતું કાંચી;
(૨) શ્રીમહાદેવનના મત પ્રમાણે, કાશ્મીર;
(૩) માધવના “શંકરદિગ્વિજય” અને લક્ષ્મણશાસ્ત્રીનાં ‘ગુરુવંશકાવ્ય’ પ્રમાણે, દત્તાત્રેયની દત્તગુફા;
(૪) એક પરંપરા પ્રમાણે, નેપાળ;
(૫) આવા અનેક વિવિધ મતો હોવા છતાં, સૌથી વ્યાપક અને સ્વીકૃત મત તો એ જ છે કે આચાર્યશ્રી હિમાલયમાં કૈલાસ પર્વત પર જ બ્રહ્મલીન થયા. શંકરાચાર્યના ૭૮૮થી ૮૨૦ સુધીનાં આયુષ્યવાળા મતને માન્ય ગણીને ચાલીએ
૮ | વિવેકચૂડામણિ