Book Title: Vishvamangal Granthmala Part 01 Author(s): Veishankar Murarji Vasu Publisher: Kamal Prakashan View full book textPage 9
________________ વિતાવે છે. પ્રજાને સડેલું અનાજ મેળવવાની જેટલી ચિંતા છે, એટલી જ એ શેના વડે રાંધવું એની પણ ચિંતા છે. જેમ માછલીએ જાળમાં તરફડે તેમ લોર્ડ મેકોલેએ ઉત્પન્ન કરેલા નિષ્ણાતેની. માયાજાળમાં ફસાયેલી પ્રજાને મોટો ભાગ તરફડે છે. એક બાજુ મૂડીવાદ અને સામ્યવાદ તથા બીજી બાજુ ભારતીય અસ્મિતા વચ્ચે હૃદયુદ્ધ ખેલાઈ રહ્યું છે ત્યારે દેશનું ભારતીયકરણ કરી મૂડીવાદ અને સામ્યવાદને આખરી પરાજય આપવા પ્રજા કટિબદ્ધ બને. હિંસા, કાવાદાવા તેમ જ શેષણ ઉપર નભી રહેલા હાલના અર્થતંત્રને સ્થાને ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા ઉપર આધારિત જીવમાત્રના રક્ષણ અને પિષણના ધ્યેયવાળી અને કોઈ પણ જાતની હિંસા ઉપર પ્રતિબંધ મૂકતી અર્થવ્યવસ્થાને અમલ કરવા સંપૂર્ણ એવધબંધીની. નીતિ અપનાવે તે માટે સમય પાકી ગયેલ છે. ભારતની અસ્મિતા અખંડિત રાખવા અને અયુદ્ધ તરફ ઘસ-- ડાઈ રહેલી દુનિયાને શાંતિ અને સાચી સમૃદ્ધિને રસ્તે બતાવવા સંપૂર્ણ ગેવબંધી કરવાનું અનિવાર્ય છે. - ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાને ઉપનિષદનું સૂત્ર ગણી એને અમલ કરવામાં આવે તે જ પરદેશી સંસ્કૃતિ, પરદેશીઓની આથિક પક્કડ, દુષ્કાળ, પ્રલય વેરતાં પૂરે, ઝેરી હવામાન, નિત. નવીન બિમારીઓ વગેરે સંક્ટોની પકડમાંથી દેશ મુક્ત થઈ શકશે. વિશ્વની બે અર્થવ્યવસ્થા (૧) પિષક (૨) શેષક દુનિયામાં બે પ્રકારની અર્થવ્યવસ્થા છે. (૧) ભારતીય અર્થવ્યવસ્થા આ અર્થવ્યવસ્થા ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા વિકસેલી છે. આ ચારેમાં ગાય એનું મધ્યબિન્દુ છે, અને રેંટિયે એનું પૂરક બળ છે. એ અર્થ વ્યવસ્થા પ્રાણીમાત્રનું રક્ષણ અને પિષણ કરવાની ભાવનાવાળી છે. એ એક સહુથી વધારે વહેવારું વ્યવસ્થા છે. કારણ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 290