Book Title: Vani No Siddhanta Granth Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 2
________________ ખંડ-૧ વાણીતી સૈદ્ધાંતિક સમજ [૧] ઓરિજિનલ ટેપરેકર્ડ ! બોલતારો, તે ‘હું' તથી ! આ કોણ બોલે છે આપની જોડે, એ કહો જોઈએ. તમને જે સમજણ પડે, એ બોલોને ! પ્રશ્નકર્તા : ખબર નથી. દાદાશ્રી : એવું ચાલતું હશે ? આ તમે રૂબરૂ જુઓ છો, અહીં બેઠાં છો, તો પછી ? અહીં ના બેઠાં હોય, તેના મનમાં એમ થાય કે નથી ખબર. પણ આ તો સાધારણ પૂછું છું, કે કોણ બોલે છે ? આપને શું લાગે છે ? આપણે અહીં આગળ ઓછું કંઈ પાસ-નાપાસ થવા બેઠાં છીએ ? આ તો સમજવાની વાતો છે. સમજવાની તો જરૂર છે ને ? તો જે લાગે, એ કહો ને ! પ્રશ્નકર્તા : એ તો આપણે બે વાતો કરીએ છીએ. દાદાશ્રી : પણ તમે જુદા ને હું જુદો, એવું નથી દેખાતું તમને ? પ્રશ્નકર્તા : હા, એવું જ ભાસે છે. નથી કોઈ દહાડો ય. પછી ! વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : તો આપની સાથે આ કોણ વાત કરે છે ? પ્રશ્નકર્તા : આપ બોલો છો. દાદાશ્રી : આમ ઉઘાડી આંખે આ જ દેખાય. પણ હું બોલ્યો જ પ્રશ્નકર્તા : અત્યારે ય નહીં ? દાદાશ્રી : હું બોલતો હોઉં તો મારા હાથમાં સત્તા આવી ગઈ કહેવાય. તો આટલી બધી હું બોલવાની શક્તિ ધરાવું છું ? આ બધાને પૂછી જુઓ, હું કંઈ બોલ્યો છું ? પ્રશ્નકર્તા : તમે જો કાંઈ બોલ્યા નથી, તો મેં કંઈ સાંભળ્યું નથી દાદાશ્રી : પણ અમે જો બોલ્યા હોય ને તમે સાંભળ્યું હોય તો હું બોલ્યો છું કે કેમ, એ પૂછી જુઓ ને, આ બધાને. ત કરે વાત દેહ કદિ ! પ્રશ્નકર્તા : હું તો તમારા શરીરને જોઉં છું, કે તમારું શરીર મારી સાથે વાત કરે છે. ને ? દાદાશ્રી : શરી૨ વાત નથી કરતું. શરીર જો વાત કરતું હોય ને, તો માણસ મરી ગયા પછી એનું શરીર આપણી જોડે વાત કરે. શરીર તો બોલતું હશે ?! પ્રશ્નકર્તા ઃ તો માણસ બોલે છે. માણસે બોલવાનો તો પુરુષાર્થ કર્યો : દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ માણસ બોલી શકે જ નહીં ! જે બોલે છે, એ એમ કહે છે ‘હું બોલ્યો.’ પણ એ ભ્રાંતિ છે. બોલી શકે નહીં વર્લ્ડમાં કોઈ માણસ ! આવું જ્યારે કહું છું ત્યારે સાયન્ટિસ્ટોને સમજમાં ના આવ્યું, એક વાર તો સાયન્ટિસ્ટો ગૂંચવાડામાં પડી ગયા !Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 280