________________
ખંડ-૧
વાણીતી સૈદ્ધાંતિક સમજ
[૧] ઓરિજિનલ ટેપરેકર્ડ !
બોલતારો, તે ‘હું' તથી !
આ કોણ બોલે છે આપની જોડે, એ કહો જોઈએ. તમને જે સમજણ પડે, એ બોલોને !
પ્રશ્નકર્તા : ખબર નથી.
દાદાશ્રી : એવું ચાલતું હશે ?
આ તમે રૂબરૂ જુઓ છો, અહીં બેઠાં છો, તો પછી ? અહીં ના બેઠાં હોય, તેના મનમાં એમ થાય કે નથી ખબર. પણ આ તો સાધારણ પૂછું છું, કે કોણ બોલે છે ? આપને શું લાગે છે ? આપણે અહીં આગળ ઓછું કંઈ પાસ-નાપાસ થવા બેઠાં છીએ ? આ તો સમજવાની વાતો છે. સમજવાની તો જરૂર છે ને ? તો જે લાગે, એ કહો ને !
પ્રશ્નકર્તા : એ તો આપણે બે વાતો કરીએ છીએ.
દાદાશ્રી : પણ તમે જુદા ને હું જુદો, એવું નથી દેખાતું તમને ? પ્રશ્નકર્તા : હા, એવું જ ભાસે છે.
નથી કોઈ દહાડો ય.
પછી !
વાણીનો સિદ્ધાંત
દાદાશ્રી : તો આપની સાથે આ કોણ વાત કરે છે ?
પ્રશ્નકર્તા : આપ બોલો છો.
દાદાશ્રી : આમ ઉઘાડી આંખે આ જ દેખાય. પણ હું બોલ્યો જ
પ્રશ્નકર્તા : અત્યારે ય નહીં ?
દાદાશ્રી : હું બોલતો હોઉં તો મારા હાથમાં સત્તા આવી ગઈ કહેવાય. તો આટલી બધી હું બોલવાની શક્તિ ધરાવું છું ? આ બધાને પૂછી જુઓ, હું કંઈ બોલ્યો છું ?
પ્રશ્નકર્તા : તમે જો કાંઈ બોલ્યા નથી, તો મેં કંઈ સાંભળ્યું નથી
દાદાશ્રી : પણ અમે જો બોલ્યા હોય ને તમે સાંભળ્યું હોય તો હું બોલ્યો છું કે કેમ, એ પૂછી જુઓ ને, આ બધાને.
ત કરે વાત દેહ કદિ !
પ્રશ્નકર્તા : હું તો તમારા શરીરને જોઉં છું, કે તમારું શરીર મારી સાથે વાત કરે છે.
ને ?
દાદાશ્રી : શરી૨ વાત નથી કરતું. શરીર જો વાત કરતું હોય ને, તો માણસ મરી ગયા પછી એનું શરીર આપણી જોડે વાત કરે. શરીર તો બોલતું હશે ?!
પ્રશ્નકર્તા ઃ તો માણસ બોલે છે. માણસે બોલવાનો તો પુરુષાર્થ કર્યો
:
દાદાશ્રી : આ વર્લ્ડમાં કોઈ માણસ બોલી શકે જ નહીં ! જે બોલે
છે, એ એમ કહે છે ‘હું બોલ્યો.’ પણ એ ભ્રાંતિ છે. બોલી શકે નહીં વર્લ્ડમાં કોઈ માણસ ! આવું જ્યારે કહું છું ત્યારે સાયન્ટિસ્ટોને સમજમાં ના આવ્યું, એક વાર તો સાયન્ટિસ્ટો ગૂંચવાડામાં પડી ગયા !