Book Title: Tap ane Udyapan
Author(s): Sagaranandsuri
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 672
________________ ૫૪૨ તપ અને નારા અને ઉપાશ્રયમાં જનારા સર્વ લેકે સ્પષ્ટ રીતે એ વાત સમજી શકે છે કે ગામમાં જે પ્રમાણ વ્યાખ્યાનને શ્રવણ કરનારાઓ અને તહેવારોમાં પ્રતિક્રમણ કરનારાઓનું હોય છે, તેને આધારેજ ઉપાશ્રયનું માપ હોય છે. આપણે દેખીએ છીએ કે ઉપાશ્રય હજારે મનુષ્યની બેઠકની સગવડ ધરાવનારા હોય છે, ત્યારે સાધુઓની સંખ્યા કોઈ દિવસ પણ તેટલા પ્રમાણમાં આવનારી હોતી નથી. કદાચ એમ કહી શકે કે ઉપાશ્રયના હેલ સિવાય બાકીના ઓરડા વિગેરેના સ્થાને સાધુને માટે જ હોય છે, તો તેમાં પણ પ્રથમ દૃષ્ટિએ તે તે ઓરડાની બેઠક ગૃહસ્થની હાજરીને અંગેજ કરવી પડે છે, અને ગૃહસ્થામાં પણ પૌષધ કરનારો સર્વ વર્ગ ઉપવાસ કરનારો હોતો નથી, અને જેઓ ઉપવાસ ન કરી શકે તેવા હોય તે બધાને પોતાને ઘેરે એકાસણું આદિક કરવાની સગવડ હેય નહિ અને તેથી તે પૈષધવાળાને એકાસણાદિ કરાવવા માટે ઓરડાદિકની જરૂર પડે તે સ્વાભાવિક જ છે. એવી જ રીતે સ્થડિલ અને માત્રાની ભૂમિ પણ પૌષધ કરનારને જરૂર જોઈએ Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696