________________
अग्रे ज्ञानरसोपसिक्तविविधध्यानेषु भूनिश्चले मोहध्वंसिनि भूपबोधकुशले मुक्तेर्महामङ्गले । चारित्र्ये विमले स्वभावसरले विद्यावतां वत्सलेड हद्भक्तैर्विजयादिभाजि कमले पट्टोत्सवः कारितः ॥२६॥
તેમની પાટે શ્રીકમલસૂરીશ્વરજીમ.નો પટ્ટાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવ્યો. તેઓ જ્ઞાનરૂપી રસથી મનોહર એવાં વિવિધ ધ્યાનમાં પર્વતની જેમ નિશ્ચલ હતા. તેઓ મોહનો નાશ કરનારા હતા, રાજાઓને બોધ આપવામાં સમર્થ હતા, મુક્તિમાર્ગમાં મહામંગલરૂપ હતા. તેમનું ચારિત્ર નિર્મળ હતું. તેમનો સ્વભાવ સરળ હતો. વિદ્યાવાનો ઉપર તેમને પ્રીતિ રહેતી હતી.
૨૬
काण्डीरो परवादिनां शमदमैरापत्तिधीरः कृती भव्ये नीरधरो जिनागमसरित्क्रीडासमीरः कविः । मायाचीरहरोऽथ सिद्धवचनोऽसौ यौवराज्ये पदे गच्छस्याऽभ्युदयाय वीरविजयोपाध्याय आसन्नवान् ॥२७॥
ગચ્છના અભ્યદય માટે, તેમની પાટ ઉપાધ્યાય શ્રીવીરવિજયજીમ. બિરાજમાન થયા. પરવાદીઓને જીતવામાં તેઓ સફળ ધનુર્ધારી હતા. કષાય અને ઇન્દ્રિયને કાબૂમાં રાખનાર હોવાથી તેઓ આપત્તિમાં ધીરતા ધારણ કરી શકતા હતા. તેઓ પુણ્યવાન હતા. તેઓ ભવ્યજીવો પર વાદળની જેમ વરસતા હતા. જિનાગમરૂપી નદીના કાંઠે તેઓ પવનની જેમ વહેતા હતા. તેમની વાણી હંમેશા સાચી પડતી હતી. તેઓ કવિ હતા. તેઓ માયારૂપી વસ્ત્રને હરનારા હતા.
आधानं सकलागमोपनिषदां ज्योतिर्निधानं श्रियस्सन्तानं जितमानमात्मपदवीं श्रीदानसूरीश्वरम् । सोऽदाच्चारुचरित्रचारचतुरं गाङ्गेयगोत्रं धृतौ विद्वत्पर्षदि गीयमानमतुलैर्विभ्राजमानं गुणैः ॥२८॥
તેમણે શ્રીદાનસૂરીશ્વરજી મ.ને પોતાની પાટે બેસાડ્યા. આ સૂરિજી સઘળાય આગમોનાં રહસ્યોના જાણકાર હતા, જ્યોતિષવિદ્યાના સાગર હતા, લક્ષમીનું સંતાન હતા, અભિમાનરહિત હતા, ચારિત્રનાં સુંદર પાલનમાં કુશળ હતા. તેમની ધીરતા ભીષ્મપિતામહ જેવી હતી, વિદ્વાનોની સભામાં તેમના ગુણોની પ્રશંસા થતી હતી. તેઓ અનેક સદ્ગુણો દ્વારા શોભતા હતા.
૨૮
तत्पट्टे सुविशालगच्छविनताः श्रीप्रेमसूरीश्वरा जाताश्शास्त्रकुले निसर्गनिपुणा वात्सल्यगङ्गाधराः । येषां शीलरसालिनि द्युललना लीलोल्लसच्चारिमाशालिन्याकलयन्ति कौतुककलाकेलि ललल्लालसाः ॥२९॥
તેમની પાટે શ્રીપ્રેમસૂરીશ્વરજીમ. થયા. સાધુઓનો સુવિશાળ સમુદાય તેમની સેવા કરતો હતો. તેઓ અનેક શાસ્ત્રોમાં સહજ રીતે કુશલ હતા. વાત્સલ્યની ગંગા તેઓ સતત વહેતી રાખતા હતા. તેમનું શીલરૂપી આમ્રવન અતિશય સૌન્દર્યવાળું હતું. દેવતાઓની સ્ત્રીઓ આકર્ષણ પામીને તેમનાં શીલરૂપી આમ્રવનમાં કૌતુક ક્રીડા કરતી હતી.
૨૯