________________ यावत् सिद्धशिलातले भगवतां सिद्धात्मनामासनं तावत् स्मारकमन्दिरे विलसतु श्रीपार्श्वनाथप्रभुः / यावन्मेरुगिरौ जिनेन्द्रजनितैः कल्याणकानां महास्तावत् श्रीस्मृतिमन्दिरे प्रभवतु श्रीरामचन्द्रस्तुतिः // 131 // જ્યાં સુધી સિદ્ધશિલા પર સિદ્ધભગવંતો બિરાજે છે, ત્યાર સુધી શ્રી પાર્શ્વનાથપ્રભુ સ્મારકમાં બિરાજમાન રહો તેવી ભાવના છે. જ્યાં સુધી મેરુપર્વત પર પ્રભુનાં જન્મકલ્યાણકના ઉત્સવો થાય છે ત્યાર સુધી મૃતિમંદિરમાં શ્રીરામચંદ્રગુરની સ્તુતિ ચાલતી રહો. 131 यावच्चान्त्यसमुद्रनीरनिकरैर्लोकान्तमास्फाल्यते श्रीरामस्मृतिमन्दिरस्य शिखरे तावद् ध्वजा नृत्यतु / श्रीसिद्धाचलतीर्थमात्मरसिकान् यावच्च दत्ते शिवं तावच्चैत्यमिदं ददातु भविनामानन्दकन्दं वरम् // 132 // સ્વયંભૂરમણ સમુદ્રનાં પાણી જ્યાર સુધી લોકાન્તને અફળાય છે ત્યાર સુધી સ્મૃતિમંદિરના શિખર પર ધ્વજા ફરકતી રહો. શ્રીશત્રુંજય તીર્થ ભવ્યજીવોને જયાર સુધી મોક્ષ આપે છે ત્યાર સુધી આ ચૈત્ય ભવ્ય જીવોને ઘણો આનંદ આપતું રહો. 132 शब्दानां पुनरुक्तिरर्थरचने मान्द्यं तथा व्याकृती दोषा भारति ! सर्वमेव वितथं जानेऽहमज्ञानवान् / एकं केवलमर्थये भगवति ! त्वत्तः कृति हस्तयोरादाय स्मितदानमानममलं मह्यं भवत्या भवेत् // 133 // હે સરસ્વતીમાતા ! આ કાવ્યમાં શબ્દોની પુનરુક્તિ છે, અર્થરચના શિથિલ છે, વ્યાકરણના દોષો છે. હું અજ્ઞાની છું, મને ખબર છે. તો પણ મારી એક પ્રાર્થના છે કે તમે આ કૃતિ હાથમાં લો અને મને આપતું વિમળ સ્મિત મળે તેવી કૃપા કરો. 133 જેમણે શાસનની રક્ષા કરી તે રામચંદ્રસૂરિજી મ.ને ધન્ય છે જેમણે મંદિરની રચના કરી તે ગુરુભક્તોને ધન્ય છે. જેમણે મૂર્તિની પ્રતિષ્ઠા કરી તે યુગાન્ત સુધી જીવનારા પુણ્યવાનોને ધન્ય છે. સદા જયવંત એવા ચતુર્વિધ સંઘનું હંમેશા મંગળ થાઓ. 134 धन्यास्ते भुवि रामचन्द्रगुरवो यैश्शासनं रक्षितं धन्यास्ते गुरुराजभक्तमनुजा यैर्निर्मितं मन्दिरम् / धन्यास्ते कृतिनो युगान्तवयसो यैस्स्थापिता मूर्तयः श्रीसङ्घस्य चतुर्विधस्य जयिनो भूयात् सदा मङ्गलम् // 134 // श्रीसंवेगरतिर्यतिश्शुभमतिर्धन्यो जनेता गुणी / श्रीवैराग्यरतिश्च शास्त्रजलधिर्बन्धुर्यदीयो महान् / माता यस्य जयाऽथ सोदरतया भूपेश आस्ते गृहे सोऽयं तीर्थकथां जगौ शमरतिः श्रीरामचन्द्राश्रयाम् // 135 स्मृतिमन्दिरप्रशस्तिस्सूरीश्वररामचन्द्रशिष्येण / प्रशमरतिविजयेन प्रसादनायाऽऽत्मनो विहिता // 136 // શુભમતિ અને ગુણવાન એવા શ્રી સંવેગરતિવિજયજી જેમના પિતા છે, શાસ્ત્રબોધના સાગર સમા શ્રીવૈરાગ્યરતિ વિજયજી મ. જેમના બંધુ છે, જેમની માતા જયા છે અને જેમના ભાઈ ભૂપેશ ગૃહવાસમાં છે તે પ્રશમરતિવિજયે શ્રીરામચન્દ્રની તીર્થકથા રચી. 135 શ્રીરામચંદ્રસૂરીશ્વરજીમ.ના શિષ્ય પ્રશમરતિવિજયે, પોતાના મનની પ્રસન્નતા માટે સ્મૃતિમંદિર પ્રશસ્તિની રચના કરી છે. 136