Book Title: Shrimad Rajchandra Jivan Kala Author(s): Govardhanbhai K patel Publisher: Prasthan Karyalaya Ahmedabad View full book textPage 8
________________ પરિચય આ પુસ્તકની એક વિશેષતા છે. * શ્રીમદ્ રાજચંદ્ર આત્મપ્રતીતિ કરી પરમાત્મ દર્શન પામ્યા. તેમના જીવનકાલમાં સંસર્ગમાં આવનારામાંથી કેટલાકને તેમની ચમત્કારી લબ્ધિએને પરિચય થયા હતા; કોઈ કાઈ તે તેમણે આત્મપ્રતીતિ કરાવી હતી; કાઇને આત્મરૂપ કર્યાં હતા. શ્રી. લલ્લુજી મહારાજ—લઘુરાજ સ્વામી નામે પ્રસિદ્ધ તેમના આત્મજ્ઞાનના વારસદાર થયા હતા. ---- તેમનાં અનેક વર્ષોં તપશ્ચર્યાં અને ધ્યાનમાં વ્યતીત થયાં. સાંપ્રદાયિકાએ તેમને ત્યાગ કર્યો; અનેક પરીષહેા તેમને સહન કરવા પડયા. સીમમાં જતા આવતા ખેડૂતા તથા પાટીદાર ભાઇ પાસેથી તેમને ભિક્ષા મળતી, તેમણે ‘ ધર્મલાલ' આ ભદ્રિક જનેને આપવા માંડયા, અને તેમાંથી અનેક ‘ બુઝયા '; અનેક લલ્લુજી મહારાજના અન્તવાસી થઈ રહ્યા; આમાંથી અગાસ આશ્રમને! જન્મ થયા. , શ્રી. લઘુરાજ સ્વામી શ્રીમના અનન્ય ભક્ત હતા; તેમની ગુરુભક્તિ ચમત્કારી હતી. આ સંસારમાં એક આત્મા જ સાચા છે એ દેશનાના સતત પ્રવાહ એમના તરફથી વહ્યા કરતા હતા. તેમણે પરમ કરુણાથી કેટલાયે સંશયગ્રસ્ત આધુનિકાને ‘આત્મા છે’ એવી ઝાંખી કરાવી હતી. તેમની ભાવનાને પ્રવાહ અપ્રતિહત હતા. Jain Educationa International * આ મહાત્માના અંતેવાસી બ્રહ્મચારી શ્રી. ગેવર્ધનભાઇએ આ પુસ્તક લખી તેમની સમક્ષ વાંચી સંભળાવ્યું હતું. પૂજ્યપાદ શ્રી. લઘુરાજ સ્વામીએ તેને કસેાટીએ કસી મંજુર કર્યું હતું. આ પુસ્તકની એ વિશેષતા છે. રસિકલાલ છે. પરીખ For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 256