________________
શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્યા
પુનર્જન્મ છે – જરૂર છે -એ માટે અનુભવથી હા કહેવામાં અચળ છું.
આ કાળમાં મારું જન્મવું માનું તે દુઃખદાયક છે, અને માનું તે સુખદાયક પણ છે.
[પા. ૭૯૫]
[ હાથોંધ ૧, પૃ. ૨૬ ] એવું હવે કઈ વાંચન રહ્યું નથી કે જે વાંચી જોઈએ. છીએ તે પામીએ એ જેના સંગમાં રહ્યું છે તે સંગની આ કાળમાં ન્યૂનતા થઈ પડી છે.
વિકરાળ કાળ!...વિકરાળ કમ!...વિકરાળ આત્મા !.. જેમ...પણ એમ......
હવે ધ્યાન રાખે. એ જ કલ્યાણ.
[ પા. ૭૯૬ ]
[ હાથનોંધ ૧, પૃ. ૨૭] એટલું જ શોધાય તે બધું પામશે; ખચીત એમાં જ છે. મને ચોકકસ અનુભવ છે. સત્ય કહું છું. યથાર્થ કહું છું. નિઃશંક માને.
એ સ્વરુપ માટે સહજ સહજ * કોઈ સ્થળે લખી વાળ્યું છે.
[પા. ૭૯૬ ]
[ હાથનેધ ૧, પૃ. ૩૫] હત આસવા પરિવા, નહિ ઈનમેં સંદેહ, માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિન કાલ;
ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. * જુઓ હાથનેધ ૧ લી ૫. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org