Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 296
________________ શંકા-સમાધાન ૪૯૯ નીવિ કરવાના પ્રસંગે વાપરતાં પહેલાં સાધુના મુખે માંગલિક સાંભળવાનો આગ્રહ થાય છે તે પણ જરાય યોગ્ય નથી. આવી નવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં પરિણામે નુકસાન છે. શંકા- ૧૦૮૮. ગુરુ મહારાજ પાસે વાસક્ષેપ નખાવવા માટે આવતી સ્ત્રીઓ વાસક્ષેપ સાડી ઉપર નહિ, માથા ઉપર જ પડે તે માટે માથા પરથી સાડી ખસેડીને માથું ઉઘાડું કરીને વાસક્ષેપ નખાવે તે યોગ્ય છે ? સમાધાન- જરાય યોગ્ય નથી. આમાં મર્યાદાનો ભંગ થાય. શંકા– ૧૦૮૯. રૂપ, રસ, વર્ણ, ગંધ, સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં જ જીવને કેમ સુખની ભ્રમણા થાય છે? આ પાંચે વિષયો વિષે વિશેષ જાણકારી આપવા વિનંતી. સમાધાન– કમોના આઠ પ્રકાર છે. તેમાં મુખ્ય કર્મ મોહનીય કર્મ છે. મોહનીય કર્મના દર્શન( મિથ્યાત્વ)મોહનીય અને ચારિત્ર મોહનીય એવા બે ભેદ છે. તેમાં દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ સુખની ભ્રમણા થાય છે. સત્યને જોવામાં જાણવામાં જે મુંઝવે તે દર્શનમોહનીય. આથી જ્યાં સુધી આ દર્શનમોહનીય દૂર ન થાય-મંદ પડે નહિ ત્યાં સુધી ઇન્દ્રિયોના વિષયોમાં થતી સુખની ભ્રમણા દૂર ન થાય. આથી સર્વ પ્રથમ જિનવાણી શ્રવણ આદિથી દર્શન(=મિથ્યાત્વ)મોહનીયને નબળું પાડવું જોઈએ. સર્વ જીવોના સંસારભ્રમણનું મૂળ આ દર્શન (=મિથ્યાત્વ)મોહનીય છે. જે જીવનું દર્શનમોહનીય કર્મ નબળું પડે છે તેની પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનાદિકાળથી રહેલી સુખની ભ્રમણા દૂર થાય છે. ઇન્દ્રિયોના વિષયોમાં રહેલી સુખની ભ્રમણા દૂર થયા પછી તુરત જ જીવ ઇન્દ્રિયોના વિષયોને છોડી શકતો નથી. જેનું ચારિત્રમોહનીય કર્મ નબળું પડ્યું હોય તે જ જીવ ઇન્દ્રિયોના વિષયને છોડી શકે છે. આથી દર્શનમોહનીય નબળું થયા પછી ચારિત્રમોહનીયને નબળું પાડવાનો પુરુષાર્થ કરવો જોઇએ. દર્શનમોહનીય નબળું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360