Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 353
________________ પપ૬ શંકા-સમાધાન શંકા– ૧૧૮૪. સંઘની કોઈ મિલકત ઉપર તક્તી લગાડવાની શરતે દાતા પરિવાર તરફથી ટ્રસ્ટીઓને રૂપિયા આપવાની ઓફર (આદેશ) અપાય છે અને ટ્રસ્ટીઓ તેને પાસ કરે છે. તેના બદલે પ્રવચનમાં, જાહેરમાં બોલી બોલાવીને રજા અપાય, તો ડબલ રકમ આવી શકે એમ હોય, છતાં દાતા અને ટ્રસ્ટીઓ એક થઈને ઓફરનો સ્વીકાર કરી લે તો તેમાં દોષનો ભાગીદાર કોણ બને ? સમાધાન– આવું કરવું યોગ્ય નથી. આવી બાબત વ્યાખ્યાનમાં જાહેર થવી જોઇએ. જો એકથી વધારે દાતા હોય, તો બોલી બોલાવીને આદેશ આપવો જોઈએ. અન્યથા દાતા અને ટ્રસ્ટીઓ બંને દોષના ભાગીદાર બને. અન્ય કોઈ દાતા ન હોય, તો એકને આદેશ આપવામાં દોષ નથી. શંકા- ૧૧૮૫. કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્નાદિ ઉત્તમ વસ્તુઓ અર્થીજનોના મનોરથોને પોતાની શક્તિથી પૂર્ણ કરે છે કે દેવોની સહાયથી ? સમાધાન કલ્પવૃક્ષ આદિના અધિષ્ઠાયક દેવતાઓ અર્થિઓના મનોરથોને પૂર્ણ કરે છે, એમાં પોતાનો પ્રભાવ અને સામાનું ભાગ્ય કારણભૂત ગણી શકાય. શંકા- ૧૧૮૬. બ્રહ્મચારી પુરુષ સ્ત્રીના આસન પર તથા શીલવતી સ્ત્રીએ પુરુષના આસન પર કેટલા કાળ સુધી બેસવાનું છોડવું જોઇએ ? સમાધાન– બ્રહ્મચારી પુરુષ સ્ત્રી જે આસન ઉપર બેઠેલી હોય તે આસન ઉપર સ્ત્રીના ઉઠ્યા પછી અંતર્મુહૂર્ત(બે ઘડી) સુધી બેસવું નહિ તથા શીલવતી સ્ત્રીએ જે આસન ઉપર પુરુષ બેઠેલો હોય તે આસનનો ૩ પ્રહર સુધી ત્યાગ કરવો જોઇએ. (સંબોધ પ્રકરણ ગુરુ અધિકાર ગા.૮૦) શંકા- ૧૧૮૭. મેરુતેરસમાં મેરુ બનાવવાનું શું મહત્ત્વ છે ? આ શાસ્ત્રોક્ત વિધિ છે કે રૂઢિ પ્રમાણે ચાલ્યો આવતો વ્યવહાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360