Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 339
________________ પ૪૨ શંકા-સમાધાન શંકા- ૧૧૫૮. પોતાના મિત્ર-સ્વજન આદિ ભૂખે મરતા હોય તો એમને માટે કમાણી કરીને એમને આપે તો બાધ ખરો ? સમાધાન- સંસારમાં રહેલા ગૃહસ્થને માટે પોતાના સ્વજનાદિનું પાલન-પોષણ કરવું એ ફરજ છે. આથી ભૂખે મરતા સ્વજનો માટે કમાણી કરીને એમને આપવામાં દોષ નથી. ઊલટું કમાણી કરીને ન આપે તો દોષ ગણાય. કારણ કે જે સ્વજનોને પણ ઉપયોગી ન બને તે બીજાને કોને ઉપયોગી બને ? જે કોઈને પણ ઉપયોગી ન બને તે માણસ ધર્મને લાયક પણ નથી. સ્વજનો ભૂખે મરતા હોય છે અને એમને કમાણી કરીને ન આપે તો તેમાં ઔચિત્યગુણ પણ નથી એ નિશ્ચિત થાય છે. આવો માણસ પોતાના દેવ-ગુરુધર્મની નિંદા કરાવનારો બને. હા, કમાણી કરવામાં તેણે અનીતિ કે કર્માદાનના ધંધા વગેરે ન કરવું જોઇએ. શંકા- ૧૧પ૯. આશય એટલે શું ? સમાધાન- સામાન્યથી આશય, પરિણામ, ભાવ, અધ્યવસાય આ બધા શબ્દો એકાર્થક છે. આમ છતાં જૈનધર્મમાં પ્રણિધાન વગેરે પાંચ માટે આશય શબ્દ વિશેષથી પ્રસિદ્ધ છે. પ્રણિધાન વગેરે પાંચ આશયો છે. આ આશયોનું ષોડશક ગ્રંથમાં ત્રીજા ષોડશકના છઠ્ઠા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે. શંકા- ૧૧૬૦. એક તરફ ધર્મમાં ધનનો સદુપયોગ કરવા માટે ધન કમાવાની ના પાડી છે. બીજી તરફ દેરાસરમાં પૂજા માટે અને સાધુની વૈયાવચ્ચ માટે જરૂર હોય અને બીજો આપનાર ન હોય તો કમાઈને પણ પૂજા-વેયાવચ્ચ કરવી એવું સાંભળવા મળે છે. આ વિરોધ કેવી રીતે ટાળવો ? સમાધાન– આમાં વિરોધ છે જ નહિ. ધર્મમાં ધનવ્યય કરવા માટે ધન કમાવાની ના સાધુ માટે છે, શ્રાવક માટે નહિ. ઇમર્થ વચ્ચે વિત્તેદા એ શ્લોક સાધુને આશ્રયીને છે. શ્રાવકને અંગે પ્રતિમાશતકમાં પ૭મા શ્લોકની ટીકામાં નીચેના ભાવનું જણાવ્યું છેજે જીવો સંયમ લેવાની ભાવના હોવા છતાં સંયમ લઈ શકતા નથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360