Book Title: Shanka Samadhan Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 332
________________ શંકા-સમાધાન ૫૩૫ જૈન જગત તરફ ન જુએ, કિંતુ જિનાજ્ઞા તરફ જુએ, જે પ્રવૃત્તિ તત્કાળ સારી દેખાતી હોય પણ પરિણામે લાભકારી ન હોય તે પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી એવી જિનાજ્ઞા છે. સાપ-સીડી જેવી રમતોથી પરિણામે કોઇ લાભ થવાની શક્યતા નથી. આવી રમતોથી કોઇક વ્યક્તિને લાભ થઇ જાય તો પણ તેને કરણીય તરીકે તો ન જ સ્થાપી શકાય. શંકા- ૧૧૪૮. ગામ-ગામમાં ઝઘડા ચાલતા હોય, એક બીજી જ્ઞાતિ સાથે વહેવાર બંધ હોય. આવી સ્થિતિમાં ધાર્મિક પ્રસંગની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? વડીલોને કયો દોષ લાગે ? સમાધાન ગામ-ગામના ઝઘડા ચાલતા હોય એનો અર્થ એ થયો કે એ ગામમાં રહેનારા શ્રાવકોને ધર્મનું ફળ મળ્યું નથી. જ્ઞાનીઓ સ્પષ્ટ ફરમાવે છે કે રાગ-દ્વેષ વગેરે દોષોની હાનિ થાય=ઘટે એ ધર્મનું તત્કાળ (આ ભવમાં જ) મળતું ફળ છે. જ્યાં રાગ-દ્વેષ વગેરેની હાનિ થાય ત્યાં ઝઘડા ન થાય, કિંતુ શાંતિ હોય. આજે એક તરફ દેખાવનો ધર્મ વધતો જાય છે તો બીજી તરફ એનું ફળ (રાગાદિ દોષોની હાનિ) મળતું નથી. એથી જ ધર્મી ગણાતાઓ પણ ઝઘડે છે. આવી સ્થિતિમાં જે વડીલ ધાર્મિક પત્રિકા ન સ્વીકારે તે સાધર્મિકની આશાતના કરે છે. સાધર્મિકની આશાતના એટલે ધર્મની આશાતના. ધર્મની આશાતના એટલે ધર્મ બતાવનારા અરિહંત દેવની આશાતના. આમ ધાર્મિક પત્રિકાનો અસ્વીકાર એ પરંપરાએ તીર્થંકરની આશાતના જેવું પાપ કરાવનારો બને છે તથા પરસ્પર દ્વેષની કે વૈરની વૃદ્ધિ પણ થાય. ધાર્મિક પત્રિકા ન સ્વીકારનાર વડીલને, આ પ્રમાણે સમજાવવું જોઇએ. આમ છતાં ન સમજે તો પછી ‘જેવું તેમનું ભાગ્ય’ એમ વિચારીને મધ્યસ્થભાવ ધારણ કરવો જોઇએ. શંકા- ૧૧૪૯. પંખો-લાઇટ ચાલુ કરવાથી છઠ્ઠનું અને બંધ કરવાથી અક્રમનું પાપ લાગે એવું ઘણી વખત વ્યાખ્યાનમાં સાંભળ્યું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360