________________
શંકા-સમાધાન
૫૩૫
જૈન જગત તરફ ન જુએ, કિંતુ જિનાજ્ઞા તરફ જુએ, જે પ્રવૃત્તિ તત્કાળ સારી દેખાતી હોય પણ પરિણામે લાભકારી ન હોય તે પ્રવૃત્તિ કરવા યોગ્ય નથી એવી જિનાજ્ઞા છે. સાપ-સીડી જેવી રમતોથી પરિણામે કોઇ લાભ થવાની શક્યતા નથી. આવી રમતોથી કોઇક વ્યક્તિને લાભ થઇ જાય તો પણ તેને કરણીય તરીકે તો ન જ સ્થાપી શકાય.
શંકા- ૧૧૪૮. ગામ-ગામમાં ઝઘડા ચાલતા હોય, એક બીજી જ્ઞાતિ સાથે વહેવાર બંધ હોય. આવી સ્થિતિમાં ધાર્મિક પ્રસંગની પત્રિકા આવે તો વડીલો સ્વીકારતા નથી. તો આના માટે શું કરવું જોઇએ ? વડીલોને કયો દોષ લાગે ?
સમાધાન ગામ-ગામના ઝઘડા ચાલતા હોય એનો અર્થ એ થયો કે એ ગામમાં રહેનારા શ્રાવકોને ધર્મનું ફળ મળ્યું નથી. જ્ઞાનીઓ સ્પષ્ટ ફરમાવે છે કે રાગ-દ્વેષ વગેરે દોષોની હાનિ થાય=ઘટે એ ધર્મનું તત્કાળ (આ ભવમાં જ) મળતું ફળ છે. જ્યાં રાગ-દ્વેષ વગેરેની હાનિ થાય ત્યાં ઝઘડા ન થાય, કિંતુ શાંતિ હોય. આજે એક તરફ દેખાવનો ધર્મ વધતો જાય છે તો બીજી તરફ એનું ફળ (રાગાદિ દોષોની હાનિ) મળતું નથી. એથી જ ધર્મી ગણાતાઓ પણ ઝઘડે છે.
આવી સ્થિતિમાં જે વડીલ ધાર્મિક પત્રિકા ન સ્વીકારે તે સાધર્મિકની આશાતના કરે છે. સાધર્મિકની આશાતના એટલે ધર્મની આશાતના. ધર્મની આશાતના એટલે ધર્મ બતાવનારા અરિહંત દેવની આશાતના. આમ ધાર્મિક પત્રિકાનો અસ્વીકાર એ પરંપરાએ તીર્થંકરની આશાતના જેવું પાપ કરાવનારો બને છે તથા પરસ્પર દ્વેષની કે વૈરની વૃદ્ધિ પણ થાય. ધાર્મિક પત્રિકા ન સ્વીકારનાર વડીલને, આ પ્રમાણે સમજાવવું જોઇએ. આમ છતાં ન સમજે તો પછી ‘જેવું તેમનું ભાગ્ય’ એમ વિચારીને મધ્યસ્થભાવ ધારણ કરવો જોઇએ.
શંકા- ૧૧૪૯. પંખો-લાઇટ ચાલુ કરવાથી છઠ્ઠનું અને બંધ કરવાથી અક્રમનું પાપ લાગે એવું ઘણી વખત વ્યાખ્યાનમાં સાંભળ્યું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org