________________
૫૩૬
શંકા-સમાધાન છે, તો તે કેવી રીતે ઘટે ? તેમ જ કોઈ વ્યક્તિથી સ્વીચ ચાલુ રહેલ હોય, તે બીજાના ધ્યાનમાં આવે તો બંધ કરવી જોઈએ કે નહિ ? બંધ કરવાથી પાપ લાગે ?
સમાધાન– પંખો-લાઈટ ચાલુ કરવાથી છઠ્ઠનું અને બંધ કરવાથી અઠ્ઠમનું પાપ લાગે એવું મારા જાણવામાં આવ્યું નથી. આ અંગે નીચે મુજબ મારા વાંચવામાં આવ્યું છે
પોતાનું કાર્ય પતી જાય એટલે અગ્નિ બુઝાવી નાખવો. અહીં પ્રશ્ન થાય કે આગ બુઝવવામાં પણ પાપ થાય. તે કેમ કરાય ? ઉત્તર આપતાં કહે છે કે વાત સાચી છે, પણ અગ્નિ દશ મોઢાવાળું શસ્ત્ર છે. તેનાથી બીજા ત્રસ જીવોનો વિનાશ થતો અટકે માટે તેમ કહ્યું. અગ્નિ સળગાવવા કરતાં તેના બુઝવવામાં ઓછો દોષ છે.”
આ વાંચનના આધારે “કોઈ વ્યક્તિથી સ્વીચ ચાલુ રહેલ હોય, તે બીજાના ધ્યાનમાં આવે તો બંધ કરવી જોઈએ કે નહિ? ઇત્યાદિ પ્રશ્નનો જવાબ આવી જાય છે.
શંકા- ૧૧૫૦. બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવા પાછળ શો હેતુ છે ?
સમાધાન– ચંદ્ર દેવોનું વિમાન છે. તેમાં જિનમંદિર છે. અનેક દિવસો સુધી ચંદ્રની ગેરહાજરી પછી બીજના દિવસે પહેલીવાર ચંદ્રના દર્શન થવાના કારણે તેમાં રહેલી જિનપ્રતિમાઓને ભાવથી વંદન કરવા માટે બીજના દિવસે સાંજે ચંદ્રદર્શન કરવામાં આવે છે અથવા પરિભ્રમણ કરતો ચંદ્ર મહાવિદેહક્ષેત્રમાં જાય છે. આથી “હે ચંદ્ર ! શ્રી સીમંધરસ્વામીને મારી વંદના કહેજો” એમ બોલીને શ્રી સીમંધરસ્વામી પ્રત્યે ભક્તિ પ્રદર્શિત કરવા માટે બીજના દિવસે ચંદ્રના દર્શન કરવામાં આવે છે. આથી જ બીજની સ્તુતિમાં કહ્યું છે કે “અજુવાળી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે. ચંદા ! વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદણા કહેજો રે.”
શંકા- ૧૧૫૧. પુરુષોના ચરવળાની ડાંડી ગોળ અને સ્ત્રીઓના ચરવાળાની ડાંડી ચોરસ આ ભેદનું શું કારણ ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org