________________
શંકા-સમાધાન
પ૩૭
સમાધાન– આ ભેદમાં બે કારણ છે. એક કારણ માત્ર ગીતાર્થને જણાવવા યોગ્ય છે. બીજું કારણ યુનિફોર્મ છે. જેમ પોલીસ અને વિદ્યાર્થી વગેરેના યુનિફોર્મ અલગ અલગ હોય છે, તેમ સ્ત્રી માટે અને પુરુષ માટે ચરવળાની ડાંડી અલગ અલગ રાખવાનો વ્યવહાર છે.
શંકા- ૧૧૫૨. શોક દર્શાવવા માટે લોકમાં પૂર્વે કાળાં વસ્ત્રો પહેરવાનો રિવાજ હતો. હાલમાં એ રિવાજ બદલાયો છે. હવે શોક દર્શાવવા સફેદ વસ્ત્રો પહેરવાનો રિવાજ પ્રવર્તે છે. તો માંગલિક પ્રસંગે ધર્મસ્થાનોમાં કાળાં કપડાં પહેરીને પ્રવેશ કરવાનો નિષેધ કરવાની જરૂર ખરી ?
સમાધાન- લોકમાં કાળો કલર અશુભ ગણાય છે. તેથી જ વ્યવહારમાં “અમુકે આવા કાળા કામો કર્યા” એમ ખોટા કામોને કાળાં કામો તરીકે ઓળખવામાં આવે છે. તેથી માંગલિક પ્રસંગે કાળાં વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાના નિષેધની આજે પણ જરૂર છે.
શંકા- ૧૧૫૩. માણસોને ચારે બાજુ તકલીફો છે તે દૂર કરવી જોઈએ કે પોતાના આત્માનું જ કલ્યાણ કરવું જોઇએ ?
સમાધાન પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ અને પોતાના આત્મકલ્યાણમાં બાધા ન આવે તે રીતે બીજાની તકલીફોને પણ દૂર કરવી જોઇએ. અહીં બાહ્ય તકલીફો અને આંતરિક તકલીફોને બરાબર સમજવી જોઈએ. રોગ, ગરીબાઈ વગેરે બાહ્ય તકલીફો છે. અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરે આંતરિક તકલીફો છે. બાહ્ય તકલીફોનું કારણ આંતરિક તકલીફો છે. જીવ અજ્ઞાનતા, રાગ, દ્વેષ વગેરેને આધીન બનીને હિંસા આદિ પાપો કરે છે. એ પાપનો ઉદય થાય ત્યારે રોગ વગેરે તકલીફો આવે છે. આથી બીજાની તકલીફોને દૂર કરવાની ભાવનાવાળા જીવે તકલીફોનું કારણ અજ્ઞાનતા અને રાગદ્વેષ વગેરે દોષો કેમ ટળે એવો પ્રયત્ન કરવો જોઇએ. બાહ્ય તકલીફો " દૂર કરી કરીને કેટલી કરી શકાય ? આજે કોઇની એક તકલીફ દૂર કરી, તો થોડા સમય પછી બીજી તકલીફ આવીને ઊભી રહે છે. કદાચ કોઇની બધી તકલીફો દૂર કરી દેવામાં આવે તો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org