Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 87
________________ 90 સંખ્યાત્મક શબ્દકોશ ૧૪.કરેલા ઉપકારને ભૂલીને કૃતજ્ઞતા કરે, ઉપકાર કરનારના સુખોનો નાશ કરે. - વિશ્વાસઘાતથી હિંસાજન્ય મહામોહબંધનાં બે સ્થાનો – ૧૫.ગૃહપતિ, સંઘપતિ અથવા સેનાપતિ વગેરે પોષણકર્તાની હત્યા કરે. ૧૬.રાષ્ટ્રનેતા જેવા પ્રતિષ્ઠિતની હત્યા કરે, લોકપ્રિય વ્યક્તિની હત્યા કરે. હું - ધર્મભ્રષ્ટતા તથા ધર્મનિંદાજન્ય મહામોહબંધનાં છ સ્થાનો – ૧૭.સમાજના આધારસ્તંભ વિશિષ્ટ પરોપકારી પુરુષની હત્યા કરે. ૧૮.સંયમ માટે તત્પર મુમુક્ષુ અને દીક્ષિત સાધુને સંયમભ્રષ્ટ કરે. ૧૯.અનંતજ્ઞાનીની નિંદા કરે તથા સર્વજ્ઞતા પ્રત્યે અશ્રદ્ધા કરે. ૨૦.આચાર્ય અને ઉપાધ્યાયની સેવાભક્તિ ન કરે. ૨૧.અહિંસાદિ મોક્ષમાર્ગની નિંદા કરીને જનતાને તેનાથી વિમુખ કરે. ૨૨.આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે. તેમનો આદર-સત્કાર ન કરે. ક - મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહબંધનાશ આઠસ્થાનો – ૨૩.પોતે બહુશ્રુત ન હોવા છતાં સ્વયંને બહુશ્રુત કહે. ૨૪.તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે. ૨૫.શક્તિ હોવા છતાં, રોગી, વૃદ્ધ, અશક્તની સેવા ન કરે. ૨૬.જ્ઞાન, દર્શન, ચારિત્રવિનાશક અને કામોત્પાદક કથાનો વારંવાર પ્રયોગ કરે. ર૭.પોતાના મિત્રો વગેરે માટે વારંવાર જાદુ, મંત્ર-તંત્ર, વશીકરણ આદિનો પ્રયોગ કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126