Book Title: Sangha Saurabh
Author(s): Bhuvanchandra
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 80
________________ સરલાત્મા અને સદાનંદી પૂજ્ય શ્રી પ્રીતિશ્રીજી મહારાજની જન્મભૂમિ ખંભાત હતી. પિતાનું નામ સાકળચંદ નાથાભાઈ, સંસા૨૫ક્ષે નામ – શક૨ીબહેન, જન્મ સં. ૧૯૫૦. બાળવયે વિધવા થયા અને મન ત્યાગમાર્ગે વળ્યું. સં. ૧૯૭૦માં ધ્રાંગધ્રા મુકામે પૂજ્ય શ્રી ચંદનશ્રીજી મહારાજના સંઘાડામાં દીક્ષિત થયા. સાધ્વીશ્રી પ્રભાશ્રીજીના શિષ્યા તરીકે તેમનું નામ પ્રીતિશ્રીજી પાડવામાં આવ્યું. પ્રીતિશ્રીજીમાં સેવાનો ગુણ વિશેષ હતો. મોટા ગુરૂણી ચંદનશ્રીજીની છેવટ સુધી સેવા કરી. ચંદનશ્રીજી મહારાજ છેલ્લા પંદરેક વર્ષ ખંભાતમાં સ્થિર હતા, પ્રીતિશ્રીજી સતત તેમની સેવામાં હતા. પ્રીતિશ્રીજી મહારાજે પણ પોતાના પાછલાં વર્ષોમાં ખંભાતમાં જ સ્થિરતા કરી હતી. તેઓ સદા આનંદમાં રહેતા. તપસ્યા અને જાપના પ્રેમી હતા. નવકારવાળી તો હાથમાં જ હોય. છેલ્લા બે-ત્રણ વર્ષમાં અરિહંત પદનો સવા કરોડ જાપ કર્યો હતો. અરિહંતનું સ્મરણ કરતાં કરતાં સં. ૨૦૪૦ મહા વદ અમાસના પ્રીતિશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા. સાધ્વીશ્રી મહોદયશ્રીજી મહારાજ આદિ ઠાણા તેમની સેવામાં હતા. સૌમ્યમૂર્તિ પ્રીતિશ્રીજી મહારાજને ખંભાતનો સંઘ આજે પણ યાદ કરે છે. સંઘસૌરભ Jain Education International સૌમ્યમૂર્તિ પૂજ્ય સાધ્વીશ્રી પ્રીતિશ્રીજી મહારાજ ᎦᏬᏋ મોટી ખાખરના શેઠ કોશી કેશવજીના ધર્મપત્ની પુરબાઈએ પાલિતાણામાં ધર્મશાળા બંધાવી, જે પુરબાઈની ધર્મશાળા તરીકે ઓળખાય છે. એનું સંચાલન મુંબઈનું કચ્છી દહેરાવાસી જૈન મહાજન સંભાળે છે. — For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176