________________
304
ગ્રંથ સમીક્ષા
SAMBODHI
હે વિપ્ર ! આપણે બ્રાહ્મણો ક્ષમા આપવાથી પૂજ્યપણાને પામ્યા છીએ. હિંસાથી નહીં. તો પછી હિંસા કરવાથી બ્રાહ્મણપણું કેમ રહે? તમે અન્ન, દૂધ, ઘી વગેરેથી મોટું પુણ્ય આપનાર યજ્ઞ કરો. આ હિંસામય યજ્ઞરૂપ મહાપાપથી પાછા વળો. દેવતાઓને સાત્ત્વિક કહ્યા છે અને અસુરોને તામસી કહ્યા છે. તમે તમારું દૈવત સાચવો. શા માટે આસુરીભાવ વહોરી લો છો ? આ પશુઓને છોડીને પાયસ વગેરેથી યજ્ઞ કરવાના હો તો હું અહીં યજ્ઞમાં રોકાઉં. (૩૭-૪૦)
સ્વામી યજ્ઞપુરુષદાસજી કહે છે. આવું શ્રીહરિનું વાક્ય સાંભળીને જગજીવન ડગી ગયો, પરંતુ તામસી બ્રાહ્મણોએ તેને ચડાવ્યો. (તેથી તે કહેવા લાગ્યો.)
જગજીવન કહે છે : યજ્ઞહિંસા તો વૈદિક કહેવાય છે. શ્રુતિનું વચન છે કે યજ્ઞ માટે જ પશુઓ સજર્યા છે. તે બુદ્ધિમાન ! “ગનેન યત’ આ વાક્ય તો અનેક વખત શ્રુતિમાં આવે છે. વેદવિહિત હિંસાને બુદ્ધિશાળીઓએ હિંસા માની જ નથી. વધ થયેલ પશુ તો સુવર્ણમય શરીર ધારણ કરીને સ્વર્ગમાં જાય છે. આમ, શ્રુતિ પશુને સુખ મળે છે તેમ કહે છે. તમે કલ્પેલ દુઃખ નહિ. આવા વૈદિક માર્ગને નાશ કરવા માટે આ પૃથ્વી પર કોણ સમર્થ છે? અમે પશુઓને મોક્ષ આપે તેવો વૈદિક યજ્ઞ કરીશું.(૪૨-૪૫) श्रीहरिरुवाच
न हि वेदस्य तात्पर्यं हिंसायां वर्तते द्विज ! रागप्राप्ताऽथ या हिंसा तत्सङ्कोचेऽवगम्यताम् ॥ ४६ ॥ बीजैर्यज्ञेषु यष्टव्यमिति वै वैदिकी श्रुतिः । अजसज्ञानि बीजानि छागं न हन्तुमर्हसि ॥ ४७ ॥ यज बीजैर्द्विजश्रेष्ठ ! येषु हिंसा न विद्यते । ત્રિવર્ષપર વાતમુર્તિરપ્રોહિમિ: II ૪૮ છે. हिंसायज्ञपरो वेद इत्युक्तेऽपि व्यथाङ्गतः । राजोपरिचरो विप्र ! हिंसको व्रजेत् कथम् ? ॥ ४९ ॥ पशुघातोऽस्ति धर्मस्तन्न सतां मतमुच्यते । सुखं धर्मफलं प्रोक्तं दुःखम्धर्मसम्भवम् ॥ ५० ॥ दुःखमेव फलं प्रोक्तं पशुघातस्य कर्मणः ।
श्रीमद्भागवते विप्र ! धर्मः स कथ्यते कथम् ? ॥ ५१ ॥ श्रीमद्भागवतवचनम्
જો ! શો પ્રનીપતે રાજન પશ્ન પશ્ય વાડધ્વજે * सज्ञपितान् जीवसङ्घान्निघृणेन सहस्रशः ॥ ५२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org