Book Title: Sambodhi 2013 Vol 36
Author(s): Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 326
________________ SAMBODHI 318 ગ્રંથ સમીક્ષા કહીને સંસ્કૃત સાહિત્યના વારસામાં નવું નામ આપી સાહિત્યની વિપુલતામાં ઉમેરો કરનાર ગ્રંથ પણ નિઃશંકપણે કહેવાય. અત્યારના યુગમાં ૧૯,000 શ્લોકોનો ગ્રંથ રચવો એ સહેલું કાર્ય નથી. પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી જ આ રચાયો છે તેમ લેખકનું કહેવું તદ્દન સત્ય છે. સંક્ષેપમાં કહીએ તો સમગ્ર ગ્રંથ નીચે મુજબ છે : પાંચ પ્રકરણો, ૨૯૮ અધ્યાયો તથા ૧૯,૧૧૮ શ્લોકોમાં લખાયેલ શાસ્ત્ર તત્ત્વજ્ઞાન, ઉત્સવોની રીત, મંદિરપદ્ધતિ-પ્રતિષ્ઠા, દીક્ષા, પૂજા-અર્ચના વગેરે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ પાસાઓને આવરીને લખાયેલ શાસ્ત્ર ૬૦૦ વરસ દરમિયાન થયેલ સ્વામિનારાયણ ભગવાનથી પૂર્વેના તથા પછીના તેમ બાર ગુરુઓનાં ચરિત્રોનો ઇતિહાસ ગ્રંથ. ગ્રંથ સંવત ૧૯૫૩થી આરંભી સં.૨૦૦૭ સુધી ૫૪ વરસ સુધીના ચાર ગુરુવર્યો બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ તથા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામીજી મહારાજની શ્રદ્ધા અને ધીરજ પછી લખાયેલ ગ્રંથ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે સહિત ભક્તિરૂપે એકાંતિક ધર્મનું તથા દાર્શનિક અનેક વિષયોનું નિરૂપણ કરતો દાર્શનિક ગ્રંથ ધર્મશાસ્ત્રના અહિંસા, સોળ સંસ્કાર વગેરે ઘણા વિષયોનું નિરૂપણ કરનાર ધર્મશાસ્ત્ર ભક્તિ-સંબંધી લગભગ વિષયોનું નિરૂપણ કરનાર આગમ ગ્રંથ નવ રસ, લોકોક્તિઓ, ઉપમાઓ વગેરેથી ભરપૂર કાવ્ય ગ્રંથ • સંવાદાત્મક પૌરાણિક શૈલીમાં લખાયેલ પુરાણ ગ્રંથ પાદટીપ १. एवं श्रूयते बृहस्पतिरिन्द्राय दिव्यं वर्षसहस्रं प्रतिपदोक्तानां शब्दानां शब्दपारायणं प्रोवाच, नान्तं जगाम। દતિથ વI ધ્યેતા વર્ષ સહસ્ત્રHધ્યયનનો નાનં નામ. પસ્પશાલિક ભાષ્ય ૧/૧ ૧, પતંજલિ. ૨. નહાનાલાલ દલપતરામ કવિ, શિક્ષાપત્રી, સમશ્લોકી, પ્રસ્તાવના પૃ.૧૨. લેખક: સાધુ શ્રુતિપ્રકાશદાસ પ્રકાશક : સ્વામિનારાયણ અક્ષરપીઠ, અમદાવાદ, સને ૨૦૧૩ ૫ ભાગ, ૧૭૬૬ પૃષ્ઠ, ૬૬ રંગીન પુષ્ઠ, ૫ પરિશિષ્ટો સહિતનો દળદાર ગ્રંથ કિંમત રૂા.૮૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328