Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 11
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદવ ) તેમણે રચેલા આ પપ્રાભૃત ગ્રંથમાં......... સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા સમાપ્ત થઈ.'' આમ પદ્મભૂતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે છે; * શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે. ભગવાન કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમના સમયસાર, પ્રવચનસાર, નિયમસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામનાં ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ પરમાગમમાં રહેલા છે એમ સૂક્ષ્મ દીષ્ટથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દષ્ટિયથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી-આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથી-અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, શેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી નિયમસારમાં મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવ તત્ત્વોનું નિરૂપણ કર્યું છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી પંચાસ્તિકાયસંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું (અર્થાત્ છ દ્રવ્યોનું અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને “સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદક, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું ૧. ભગવાન કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન સંબંધી એક ઉલ્લેખ (લગભગ વિક્રમ સંવતના ૧૩માં સૈકામાં થઈ ગયેલા) શ્રી જયસેનાચાર્યદવે પણ કર્યો છે; તે ઉલ્લેખ માટે આ શાસ્ત્રના ૩ જા પાનાની ફુટનોટ જુઓ. ૨. શિલાલેખોના નમૂના માટે ૧૯મું પાનું જાઓ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 292