Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 370
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ] [ ૩૫૫ ત્રીજી વાત-સમયસાર ગાથા ૧૬ ના કળશમાં ભેદને મેચક-મલિન કહ્યો છે; પણ એ છે, નિશ્ચયસહિત ભેદ-મલિનતા એવો વ્યવહાર છે; વ્યવહાર નથી એમ નહિ; નહિતર તો વેદાંત થઈ જાય. હવે આ વાતને સમજતા નથી એટલે અમુક લોકો કહે છે કે ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારને વેદાંતના ઢાંચામાં ઢાળી દીધું છે. આવા લોકોને તત્ત્વની કાંઈ ખબર જ નથી. અરે ભાઈ ! વેદાંતમાં અનંત સંસારી આત્મા, અનંત સિદ્ધ પરમાત્મા ઇત્યાદિ વાત છે જ કયાં? અહીં (જૈનમાં) તો જેમ પોતે એક આત્મા એવા અનંત ભિન્ન ભિન્ન આત્માઓ અને એથી પણ અનંતગુણા ભિન્ન ભિન્ન રજકણો ઇત્યાદિ બધું છે. પણ શુદ્ધનય તેને ગૌણ કરે છે. એ તો ઠીક પણ દયા, દાન, વ્રત આદિ જે શુભ વિકલ્પ ઊઠે તેને તથા એક સમયની પર્યાયને પણ ગૌણ કરી-લક્ષ છોડી શુદ્ધ આત્માને શુદ્ધ, અભેદ, નિત્ય, એક ચૈતન્યમાત્ર ગ્રહણ કરે છે. અહાહા..! જેને અહીં શુદ્ધ, નિત્ય, અભેદરૂપ એક ચૈતન્યમાત્ર કહ્યો એને જ સમયસાર ગાથા ૧૪-૧૫ માં અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિત્ય, અવિશેષ અને અસંયુક્ત કહ્યો છે, એને જ સમયસાર ગાથા ૭ માં જ્ઞાન, દર્શન અને ચારિત્રના ભેદને ગૌણ કરીને એક શુદ્ધ જ્ઞાયકભાવ કહ્યો છે. કેમકે છદ્મસ્થ રાગી જીવને ભેદ ઉપર લક્ષ જતાં રાગ-વિકલ્પ થયા વિના રહેતા નથી તેથી જ ભેદને ગૌણ કરીને શુદ્ધનય ત્રિકાળી અભેદ દ્રવ્યને ગ્રહણ કરે છે. ગાથા ૧૧ માં એને જ ભૂતાર્થ કહ્યો છે. ભાઈ ! આ એકરૂપ શાકભાવ જ મુખ્ય છે, મોટો છે. એના જ મોટપ અને મહત્તા છે. અરે ભગવાન! એને છોડી બહારમાં કોનાં માન અને કોનાં સન્માન ? બહારનાં માન અને મોટામાં તું મરી ગયો પણ અંદર મોટો ભગવાન છે ત્યાં ગયો જ નહિ! અહાહા...! અનંતવાર હજારો રાણીઓ છોડી તથા પંચમહાવ્રત પાળીને દિગંબર સાધુ થયો, પણ રમતુ બધી પર્યાયમાં જ રમ્યો, એક વાર પણ દ્રવ્યમાં-ધ્રુવમાં આવ્યો નહિ; અંદર ભગવાન ચૈતન્યનો દરિયો ભર્યો છે તેમાં ડૂબકી લગાવી નહિ. પંચમહાવ્રતના રાગની રુચિની આડમાં ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપની દષ્ટિ થઈ નહિ, પછી સ્થિરતાની તો વાત જ કયાં રહી ? અરે ભગવાન! જેની દૃષ્ટિ રાગ અને પર્યાય પર છે તે મોટો સાધુ થયો હોય તોય મિથ્યાષ્ટિ છે અને તે મિથ્યાદર્શનના કારણે દેહ છોડીને ચોરાસીના અવતારમાં ચાલ્યો જશે; ઊંધી શ્રદ્ધાના લોઢમાં તણાતો તણાતો નરક ને નિગોદમાં ચાલ્યો જશે. શું થાય? એવા (મિથ્યાદર્શનના ) પરિણામનું એવું જ ફળ છે. જ્યાં સુધી પૂર્ણાનંદની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી ત્યાંસુધી ભેદ તો ઉત્પન્ન થાય જ. પણ એ ભેદને ગૌણ કરીને-બાજુ પર એકકોર રાખીને શુદ્ધનય એક, અભેદ ચૈતન્યમાત્રને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461