Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 427
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ સ્વભાવની નિર્મળ પરિણતિ જે પ્રગટ થઈ તેની ધારા તો અખંડ-અતૂટ રહે છે. એ જ કહે છે ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે - એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યજ્ઞાન ધારાવાહી જ્ઞાન છે.” શું કહ્યું આ? ઉપયોગ ભલે પરમાં હોય, પણ જેમાં મિથ્યાદષ્ટિપણું ન આવે અને સમ્યગ્દર્શન રહે એવું જે સમ્યજ્ઞાન તે ધારાવાહી જ્ઞાન છે, રાગથી ભિન્ન પડેલું જ્ઞાન ધારાવાહી અખંડ રહે છે. આત્મા રાગથી ભિન્ન છે એવું જેને અંતર્દષ્ટિ વડે ભાન થયું તેને ભલે કિંચિત્ રાગ આવે પણ તેને જે શુદ્ધતા પ્રગટી છે તે અખંડ ધારાવાહી છે. મિથ્યાજ્ઞાન ન આવે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન છે. મિથ્યાત્વ ન આવે ત્યાં સુધી સમ્યગ્દર્શન-જ્ઞાનની ધારા ચાલે છે. આ એક પ્રકાર છે. હવે બીજો પ્રકાર-“બીજું એક જ જ્ઞયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે.” પોતાનો એકરૂપ જે જ્ઞાયકભાવ તેને શેય કહીએ; તેમાં જ ઉપયોગ સ્થિર થવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવાય છે. પહેલા પ્રકારમાં ઉપયોગની (ઉપયોગમાં સ્થિર રહેવાની) વાત નથી. ત્યાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવાથી ભેદજ્ઞાનની-જ્ઞાનમય પરિણમનની ધારા અખંડ રહે છે. બીજા પ્રકારમાં આત્મા પોતાના ધ્યાનમાં જ્ઞાતા, જ્ઞાન, શેયના ભેદથી રહિત એક ઉપયોગમાં પડ્યો હોય-એમ આત્મામાં જ લીન હોય તેને ધારાવાહી જ્ઞાન કહે છે. આ બીજા પ્રકારમાં ઉપયોગની સ્થિરતાની વાત છે. આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે.' છદ્મસ્થને તે ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે, વધારે નહિ; માટે એટલા કાળ માટે ધારાવાહી કહેવાય છે. ઉપયોગ અંદર ન રહી શકે ત્યારે ત્યાંથી બહાર આવી જાય છે એટલે ઉપયોગ ખંડિત થાય છે. માટે જ્યાંસુધી ઉપયોગ અંતરમાં લવલીન રહે ત્યાંસુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવેક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા અર્થાત્ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવાળા જીવોને ધારાવાહી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેમાં કહ્યું તે પહેલી અપેક્ષા લાગુ પડે. ઉપયોગ કોઈક વાર જ અંતરમાં જાય છે એટલે ત્યાં ઉપયોગની અપેક્ષા લાગુ ન પડે. શ્રેણી ચઢનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે. આમ તો તેને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે પણ તેને ન ગણતાં મુખ્યપણે તેને ઉપયોગની અંતર Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461