Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 426
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૬ ] [ ૪૧૧ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૨૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યરિ' જો “થમપિ' કોઈ પણ રીતે-તીવ્ર પુરુષાર્થ કરીને એટલે કે રાગથી ભિન્ન પડીને અંતર્દષ્ટિ વડે ‘ઘારાવાદિના વોઘનેન' ધારાવાહી જ્ઞાનથી-જેમ પાણીની ધાર ધારાવાહી છે તેમ રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અખંડ ધારાવાહી જ્ઞાન છે તે વડ ‘ મ માત્માનમ' શુદ્ધ આત્માને “ઘુવમ ૩પમાન: સાન્ત' નિશ્ચળપણે અનુભવ્યા કરે એટલે કે હું પરમ શુદ્ધ પવિત્ર વીતરાગસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છું એમ જે નિરંતર ધારાવાહી અનુભવ્યા કરે તત્વ' તો “યમ માત્મા’ આ આત્મા ‘૩ય-સાત્મ-સારામન માત્માનમ' જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે એવા આત્માન “TRYરતિરોધાત' પર પરિણતિના નિરોધથી-રાગની દશાને રોકીને “શુલ્કમ પવ અગ્રુપતિ' શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. લ્યો, આ બહુ ટૂંકામાં કહ્યું કે જ્ઞાની અખંડધારાવાહી જ્ઞાનમય પરિણમનથી નિરંતર શુદ્ધ આત્માને અનુભવતો થકો રાગનો વિકલ્પનો નિરોધ કરીને શુદ્ધ આત્માને જ પ્રાપ્ત કરે છે. આનું નામ સંવર છે. * કળશ ૧૨૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ પરપરિણતિનો (ભાવાગ્નવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે.' રાગની એકતાબુદ્ધિમાં ધારાવાહી અશુદ્ધતાનો-પુણ્ય-પાપરૂપ વિકારનો અનુભવ હતો અને જ્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી શુદ્ધ આત્માને અનુભવવા લાગ્યું ત્યાં ધારાવાહી જ્ઞાનમય પરિણમન થયું, અને ત્યારે પુણ્યપાપરૂપ ભાવાગ્નવો અટકી જવાથી શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. અહો ! આવું ભેદજ્ઞાન અલૌકિક વસ્તુ છે. અહા! આવા જ્ઞાનના સ્વરૂપને સમજ્યા વિના કોઈ માને કે અમે ધર્મ કરીએ છીએ તો તે બાહ્ય વ્રત, તપ, ત્યાગ આદિ ક્રિયાકાંડને જ જૈનધર્મ માને છે. તે માને છે કે વીતરાગનો ધર્મ નિવૃત્તિમય છે માટે જેટલી બાહ્ય પ્રવૃત્તિ મટીને નિવૃત્તિ થાય તેટલો ધર્મ. પણ ભાઈ ! આ બધો ભ્રમ છે. સમકિત વિના કોઈ વ્રત કે તપ સાચાં હોતાં નથી. (રાગની રુચિથી નિવર્તવું તે સૌ પ્રથમ ધર્મ છે અને તેના વિના વ્રતાદિ સાચાં હોતાં નથી). અહીં કહે છે-જ્યાં અંતરમાં રાગથી જ્ઞાન ભિન્ન પડ્યું ત્યાં શુદ્ધતાના પરિણમનની – જ્ઞાનમય પરિણમનની ધારા અખંડધારાવાહી ચાલે છે. ભલે સાથે કાંઈક અશુદ્ધતાનું પરિણમન હોય, પરંતુ શુદ્ધતાની ધારા તો નિરંતર ચાલે છે. અહાહા...! જ્ઞાનાનંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461