Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 252
________________ [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ ‘શ્રીપવાનમ્રમૂવ: ભૂપતિઓ જેમના શ્રીપદમાં (-મહિમાયુક્ત પુનિત ચરણોમાં) નમે છે.’ જોયું? ‘શ્રીવવ’ની વ્યાખ્યા કરી કે ‘મહિમાયુક્ત પુનિત ચરણો.’ અહીંયા ‘ચરણ’ નથી કહ્યા, પણ ‘મહિમાયુક્ત પુનિત ચરણો' - એમ કહ્યું છે. તો કહ્યું કે, ભૂપતિઓ આવીને ભગવાનના શ્રીપદમાં નમે છે. ૨૪૦૩ ‘નિતોપ: ક્રોધને જેમણે જીત્યો છે.' ભગવાને કોપને જીત્યો છે અર્થાત્ તેમને દ્વેષનો અંશ પણ નથી. અલ્પ પ્રતિકૂળતા હોય તો અજ્ઞાનીને અણગમો થાય છે, પણ એ વાત હવે ભગવાનને રહી નથી. ‘પ્રહ્મવિદ્વતાપ: વિદ્વાનોનો સમુદાય જેમની આગળ ઢળી પડે છે.' અહા! મોટા વિદ્વાન ને પંડિતોના ટોળાં અરિહંતપદ-સર્વજ્ઞપદ આગળ ઢળી પડે છે. એવી રીતે વિદ્વાનો એટલે કે (મતિજ્ઞાનાદિ) બધી જ્ઞાનની દશા, ગમે તેટલી (શુદ્ધપણે) પ્રગટી હોય તો પણ, સ્વભાવમાં ઢળી પડે છે. - આ રીતે જેવું એ અરિહંતપદ છે તેવું આ આત્મપદ છે એમ કહે છે. ‘સ નયતિ તે (શ્રી પદ્મપ્રભનાથ) જયવંત છે.’ લ્યો, ભગવાન જયવંત છે એમ કહે છે અર્થાત્ આવા ભગવાન જાણે કે સમવસરણમાં સાક્ષાત્ બિરાજતા ન હોય? એમ કહે છે. કારણ કે ‘જેમના શ્રીપદમાં ભૂપતિઓ નમે છે' એમ કહ્યું તેનો અર્થ શું થયો? હવે સિદ્ધદશામાં ભગવાનને પગ ક્યાં છે? સિદ્ધદશામાં પગ (-શરીર) નથી. પરંતુ જ્યારે ભગવાન અહીંયા હતા ત્યારની દશા જાણે કે પ્રત્યક્ષ નજરે તરવરે છે એમ કહે છે. એવી રીતે ભગવાન આત્મા—કે જે વર્તમાનમાં પૂર્ણ આનંદમય વિદ્યમાન તત્ત્વ છે તે પણ દૃષ્ટિમાં તરવરે છે તેથી જયવંત વર્તે છે. બહારમાં ભગવાન જયવંત વર્તે છે અને (અંદરમાં) વસ્તુ ભગવાન આત્મા જયવંત વર્તે છે. દિષ્ટ અને જ્ઞાને જે પૂર્ણ વસ્તુને પકડી છે એ વસ્તુ જયવંત વર્તે છે. - શ્લોક ૯૯ ઉપરનું પ્રવચન પહેલામાં (શ્લોક ૯૬માં) નયતિ વિવિતાત્રઃ સ્મરનીરેનનેત્રઃ એમ બધામાં ત્રઃ હતાં. પછી બીજામાં (શ્લોક ૯૭માં) સ્મરÇિારાનઃ પુછ્યનાહિરાનઃ એમ બધામાં નઃ હતાં. ― = ―

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316