Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 279
________________ ગાથા – ૭૨] [૨૬૭ સમાધાન :- ભાઈ! સિદ્ધને નમવું એ વિકલ્પ જ છે, રાગ છે. પણ એ વખતે સ્વના આશ્રયનું જોર કરીને હું મુક્તિ પ્રાપ્ત કરું એ જ મારી અભિલાષા છે. તે સિવાય કોઈ રાગમાં અટકું કે રાગનું ફળ મને મળજે એવી અભિલાષા નથી એમ મુનિરાજ કહે છે. અહા! કોઈને થાય કે આ તો ભારે વીતરાગની વાણી! - વ્યવહારથી કંઈક વર્ણવે અને નિશ્ચયથી કંઈક વર્ણવે? ભાઈ! ત્યારે જ તો બે નય વિરોધી થઈ ને? (નહીંતર બે નય જ ન રહે.) છે શ્લોક - ૧૦૩ ઉપરનું પ્રવચન જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે.” - સિદ્ધભગવાન પોતાના આનંદાદિ અનંત ગુણની નિર્મળ પરિણતિમાં સ્થિત છે. જેઓ શુદ્ધ છે.” - સિદ્ધપરમાત્મા પરિપૂર્ણ પવિત્ર છે. જેમણે આઠ ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે.– ક્ષાયિક સમકિત, અનંત જ્ઞાન, અનંત દર્શન આદિ આઠ ગુણરૂપ પર્યાય પ્રાપ્ત કરી છે. “અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને વંદું છું.” “નમો સિદ્ધાળ' - આવા સિદ્ધભગવાનને ઓળખીને હું ફરીફરીને નમસ્કાર કરું છું એમ ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ કહે છે. ગાથા - ૭ર ) શ્લોક - ૧૦૧ થી ૧૦૩ પ્રવચન નં. NSS / ૬૫ ૬૬ તારીખ ૧૨-૭-૭૧ ૧૩-૭-૭૧

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316