Book Title: Pravachana Ratna Chintamani 3
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 311
________________ XARX ગાથા - XARX ૭૬ ૦૦૦ एरिसयभावणाए ववहारणयस्स होदि चारितं । णिच्छयणयस्स चरणं एत्तो उडुं पवक्खामि યાદ્દા ईदृग्भावनायां व्यवहारनयस्य भवति चारित्रम् । निश्चयनयस्य चरणं एतदूर्ध्वं प्रवक्ष्यामि 119811 આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬. અન્વયાર્થ:- દમાવનાયામ્) આવી (પૂર્વોકત) ભાવનામાં (વ્યવહારનયસ્ય) વ્યવહારનયના અભિપ્રાયે (ચારિત્રમ્) ચારિત્ર (મતિ) છે; (નિશ્ચયનયસ્ય) નિશ્ચયનયના અભિપ્રાય (સરળમ્) ચારિત્ર (તાવૂમ્) આના પછી (પ્રવક્ષ્યામિ) કહીશ. ટીકા:- આ, વ્યવહારચારિત્ર-અધિકારનું જે વ્યાખ્યાન તેના ઉપસંહારનું અને નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે. આવી જે પૂર્વોક્ત પંચમહાવ્રત, પંચસમિતિ, નિશ્ચય-વ્યવહાર ત્રિગુપ્તિ અને પંચપરમેષ્ઠીના ધ્યાનથી સંયુક્ત, અતિપ્રશસ્ત શુભ ભાવના તેમાં વ્યવહારનયના અભિપ્રાયે પરમ ચારિત્ર છે; હવે કહેવામાં આવનારા પાંચમા અધિકારને વિષે, પરમ પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધનિશ્ચયનયાત્મક પરમ ચારિત્ર દ્રષ્ટવ્ય (–દેખવાયોગ્ય) છે.

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316