________________
ઝબકારો થાય છે. પૂર્વમાં, અતીતમાં અનુભવેલ તે ગુણની સ્મૃતિ થઈ રહે. સ્મૃતિ દ્વારા આવેલ અનુભૂતિનો એ ઝબકાર.
પણ, જો ઉપયોગ બીજી બાબતોમાં ચાલ્યો જશે તો એ ઝબકાર ક્ષણિક પ્રકાશ રેલાવી આથમી જશે.
એ પ્રકાશને થોડો સમય કે લાંબો સમય ટકે એવો બનાવવા માટે અભ્યાસ જોઈશે. “અનુભવ અભ્યાસી કરે..”
દર્શનયોગ. ઝબકારો. હવે એ ઝબકારાની ક્ષણ જતી ન રહે માટે પ્રભુના તે ગુણને ઘૂંટવાનો. ધારો કે પ્રભુના ક્ષમાગુણના દર્શનના યોગે અતીતનો ક્ષમાગુણનો આપણો અનુભવ અલપ-ઝલપ પ્રકાશિત થયો. હવે પ્રભુના એ ક્ષમાગુણને ભિન્ન ભિન્ન રીતે ઘૂંટવાનો.
આ ઘંટામણ અનુપ્રેક્ષાના સ્તર પર પહેલાં થશે. જેથી મનનું પૂરું સ્તર ક્ષમામય બની જશે. પછી એ ગુણને ધ્યાનના-અનુભૂતિના સ્તર પર લઈ જવાશે. આ અનુભૂતિ, ધ્યાનાવસ્થા કર્મોની વિપુલ નિર્જરા કરશે.
પણ અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આ બિન્દુને સ્પર્શવું કઈ રીતે ? પૂ. ચિદાનન્દજી મહારાજ એની વિધિ બતાવે છે :
ત્રિકરણ યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ; ચિદાનન્દ મનમેં સદા, તમે આવો હો પ્રભુ ! નાણ દિણંદ.
મન-વચન-કાયા વડે પ્રભુને પ્રાર્થના કે પ્રભુ ! તમે મારા મનમાં હંમેશ માટે પધારી જાવ !
બસ, પ્રભુ મનમાં, પ્રભુ હૃદયમાં,
૧૧૬
પ્રગટ્યો પૂરવ રાગ