________________
એમ લાગ્યું કે જગદ્ગુરુએ ઉનાના પોતાના અન્તિમ ચાતુર્માસમાં દૂર રહેલ પોતાના આ અન્હેવાસીને સાધનાની ગુહ્યતમ વાતો જણાવવા બોલાવ્યા હશે. વિનીત શિષ્ય સદ્ગુરુને મળે એ અગાઉ જ મહાગુરુએ ચિરવિદાય લીધી.
પરંતુ પરંપરાના મર્મજ્ઞ વિજયસેનસૂરિ મહારાજ જગદ્ગુરુશ્રીના આભામંડળમાં બેઠા હશે અને સાધનાની અણજાણ કડીઓ, કેડીઓ ખૂલવા લાગી હશે.
આપણા યુગમાં પણ થોડાક સાધકો આ સ્થળે બેસી ધ્યાનમાં જગદ્ગુરુની ઑરાને ઝીલે અને શ્રીસંઘને સાધનાનું બળ આપે એવો વિચાર થયેલો. કદાચ એ પણ એ પવિત્ર આન્દોલનો દ્વારા પ્રેષિત વિચાર હશે.
દાદાશ્રી નેમિનાથ ભગવાનના અને જગદ્ગુરુનાં આન્દોલનોમાં ભીંજાયેલ સ્વાધ્યાય અહીં પ્રસ્તુત છે.
આચાર્ય યશોવિજયસૂરિ
૧૪૦
કદમ્બગિરિ તીર્થ, ચૈ.સુ.૧૦, ૨૦૬૬
પ્રગટ્યો પૂરન રાગ