Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 284
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [२५९ ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળાને જ આચારપ્રકલ્પ નામનું એટલે કે નિશીથ નામનું (= આચારાંગ) અધ્યયન વંચાવાય છે, ચાર વર્ષના પર્યાયવાળાને જ સૂત્રકૃતાંગ, પાંચ વર્ષના પર્યાયવાળાને જ દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર અને વ્યવહારસૂત્ર એ ત્રણ, આઠ વર્ષના પર્યાયવાળાને સ્થાનાંગ અને સમવાયાંગ એ બે, દશ વર્ષના પર્યાયવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષના પર્યાયવાળાને યુલ્લિકા વિમાનપ્રવિભક્તિ, મહતી વિમાનપ્રવિભક્તિ, અંગચૂલિકા, વર્ગચૂલિકા, વિવાહચૂલિકા એ પાંચ, બાર વર્ષના પર્યાયવાળાને અરુણોપપાત, વરુણોપપાત, ગલોપપાત, વેલંધરોપપાત, વેસમણોપપાત એ પાંચ, તેર વર્ષના પર્યાયવાળાને ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેદ્રોપપાત, નાગપર્યાવલિકા, ચૌદ વર્ષના પર્યાયવાળાને આશીવિષભાવના, પંદર વર્ષના પર્યાયવાળાને જ દષ્ટિવિષભાવના, સોળ, સત્તર અને અઢાર વર્ષના પર્યાયવાળાને અનુક્રમે ચારણભાવના, મહાસ્વપનભાવના અને તેજોનિસર્ગ, ઓગણીસ વર્ષના પર્યાયવાળાને બારમું દષ્ટિવાદ અંગ વંચાવાય છે. આની પછી જ બાકીનું શ્રુત વંચાવી શકાય એમ જાણવું. સંપૂર્ણ વીસ વર્ષનો પર્યાય થતાં બિંદુસાર વગેરે સર્વશ્રુતને યોગ્ય બને છે. [૫૮૨ થી ૫૮૮]. ઉપધાનદાર उवहाणं पुण आयंबिलाइ जं जस्स वनि सुत्ते । तं तेणेव उ देअं, इहरा आणाइआ दोसा ॥ ५८९ ॥ वृत्तिः- 'उपधानं पुनरायामाम्लादि यद् यस्य' अध्ययनादेः 'वर्णितं सूत्र' एव-आगमे 'तद्' अध्ययनादि 'तेनैव तु देयं', नान्येन, 'इतरथा' अन्यथा दाने 'आज्ञादयो दोषा'श्चत्वार इति માથાર્થઃ ૧૮૨ / જે સૂત્રને ભણવા આયંબિલ વગેરે જે તપ કહ્યો છે તેને ઉપધાન કહેવામાં આવે છે. આગમમાં જે અધ્યયન વગેરેને ભણવા જે આયંબિલ વગેરે ઉપધાન = તપ કહ્યો છે, તે અધ્યયન તે જ આયંબિલ વગેરે ઉપધાનથી = તપથી આપવું = ભણાવવું, બીજા (ઓછા) તપથી ન ભણાવવું. બીજા તપથી આપવામાં = ભણાવવામાં આજ્ઞાભંગ વગેરે ચાર દોષો લાગે. [૫૮૯]. एतदेवाह जं केवलिणा भणिअं, केवलनाणेण तत्तओ नाउं । तस्सऽण्णहा विहाणे, आणाभंगो महापावो ॥ ५९० ॥ ___ वृत्तिः- 'यत्केवलिना भणितम्'-उपधानादि 'केवलज्ञानेन तत्त्वतो ज्ञात्वा तस्यान्यथा વિધાને – “આજ્ઞામ' ત્રિ: “મહાપાપ', અવનતિતિ થાર્થ | ૨૦ || આ જ વિષયને કહે છે કેવલી ભગવંતે કેવલજ્ઞાન વડે પરમાર્થથી જાણીને ઉપધાન વગેરે જે કરવાનું કહ્યું છે, તેનાથી બીજી રીતે કરવામાં જિનાજ્ઞાભંગ રૂ૫ મહાપાપ લાગે. કારણ કે ભગવાન પ્રત્યે અશ્રધ્ધા છે. [૫૦]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322