________________
• • • • પધિની • • • રાજપૂતની માતૃભૂમિ હવે પરપદથી દલિત થશે.
જ્યાં એક વખત બાપ્પા રાવળની હાક પડતી હતી ત્યાં હવે યવનોના વિજય–ઘોષ ગાજશે. મંત્રિશ્વર! કેવા ગૌરવને કે કરૂણ અંત? -
કેદારનાથ મહારાજ ! શેક કરો મિથ્યા છે. જગદનિયંતાએ જે ધાર્યું હશે તેજ થવાનું. આપણે કમેં તે વિચિત્તવૃત્તિએ જેને આપણે ધર્મ માન્ય છે, તેને માટે આ જીવન ઝઝવાનું છે ! મહારાજ, રડતાં પણ જે વસ્તુ અટકવાની નથી, તેને હસતાં 'કેમ વધાવી ન લઈએ ?
| લક્ષમણસિંહ
સાચું કહો છો, મંત્રીશ્વર! જે વસ્તુ રડતાં અટકવાની નથી, તેને હસતાં કેમ વધાવી ન લઈયે? અને હવે મંત્રીશ્વર ! મને કશી ચિંતા રહી નથી. બાપ્પા રાવળનું બીજ રાખવા અજય કેલવાડા પહોંચી ગયો હશે ! એક દિવસ એ બીજમાંથી આર્યકુળને માર્તડ ઉદિત થશે, અને એના પ્રકાશમાં ધરણું ઉજળી થઈ ઉઠશે. ચાલે મંત્રીશ્વર ! હવે ચિતડ-ગઢમાં જે કઈ બાકી રહ્યું
૧૨ ૧