Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૫૦
નિત્યક્રમ (૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તવન
(એ છીંડી કિહાં રાખી કુમતિ એ દેશી) દીવ પુષ્કરવર પશ્ચિમ અરઘે, વિજય નલિનાવઈ સોહે, નયરી અયોધ્યા મંડન સ્વસ્તિક લંછન જિન જગ મોહે રે;
ભવિયાં, અજિતવીર્ય જિન વંદો. ૧ રાજપાલ કુળ મુગટ નગીનો, માત કનિનિકા જાયો; રતનમાળા રાણીનો વલ્લભ, પ્રત્યક્ષ સુરમણિ પાયો રે ભ૦૨ દુરિજનશું કરી જે હુઓ દૂષણ, હુયે તસ શોષણ જહાં; એહવા સાહિબના ગુણ ગાઈ, પવિત્ર કરું હું જીહા રે.ભ૦૩ પ્રભુ-ગુણગણ ગંગાજલે ન્હાઈ, કયો કર્મમલ દૂર; સ્નાતકપદ જિન ભગતે લહિયે, ચિદાનંદ ભરપૂર રે.ભ૦૪ જે સંસર્ગ અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવર ગુણ થતાં લહિયે, જ્ઞાનધ્યાન લયતાને રે.ભ૦૫ સ્પર્શ જ્ઞાન ઇણિપરે અનુભવતાં, દેખીજે 'જિનરૂપ; સકળ જોગ જીવન તે પામી, નિસ્તરિયે ભવભૂપ રે.ભ૦૬ શરણ-ત્રાણ-આલંબન જિનજી, કોઈ નહીં તસ તોલે, શ્રી વિજય વિબુઘ પય સેવક, વાચક યશ એમ બોલે રે ભ૦૭
--------------
(૨૦) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(વીરમાતા પ્રીતિકારિણી–એ દેશી) આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવટ ભવ તણી, દિવસ દુરિતના નીઠા. આ૦૧ આંગણે કલ્પવેલી ફળી, ઘન અમિયના વૂઠા,
આપ માગ્યા પાસા ઢળ્યા, સુર સમકિતી તૂઠા. આ૦૨ ૧. પાઠાંતર–નિજરૂપ. ૨. પાપના દિવસો નાશ પામ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312