Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યક્રમ
૨૮૩ કામી કપટી લાલચી, અપછંદા અવિનીત; અવિવેકી ક્રોથી કઠિન, મહાપાપી ભયભીત. જે મેં જીવ વિરાળિયા, સેવ્યાં પાપ અઢાર;
નાથ તુમારી સાખર્ચો, વારંવાર ધિક્કાર. પહેલું પાપ પ્રાણાતિપાત :---
છકાયપણે મેં છકાય જીવની વિરાઘના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચૌરિન્દ્રિય, પંચેદ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્રણ સ્થાવર જીવોની વિરાઘના કરી, કરાવી, અનુમોદી મન, વચન, અને કાયાએ કરી, ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં, ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં, વર્તાવતાં, અપડિલેહણા, દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના, દુઃપ્રમાર્જના સંબંઘી, અઘિકી ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂંટ્યા, તે સર્વ જીવોનો હું પાપી અપરાધી છું, નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો. દેવસીય, રાઈય, પાક્ષિક, ચૌમાસી અને સાંવત્સરિક સંબંઘી વારંવાર મિચ્છા મિ દુક્કડં. વારંવાર ક્ષમાનું છું. તમે સર્વે ક્ષમજો.
खामेमि सबजीवे, सब्वे जीवा खमंतु मे । मित्ती मे सब भूएसु , वे मज्झं न केणइ ॥ તે દિવસ મારો ઘન્ય હશે કે જે દિવસે હું છયે કાયના જીવોના વૈરબદલાથી નિવૃત્તિ પામીશ. સર્વ ચોરાશી લાખ જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312