Book Title: Mewadno Guhilo athva Guhilotpatti Mimansa
Author(s): Manshankar Pitambardas Mehta
Publisher: Manshankar Pitambardas Mehta

View full book text
Previous | Next

Page 7
________________ ૩ તેઓને જ ઈ. સ. ૧૨૯પને અચળેશ્વર મહાદેવના મંદિરને શિલાલેખ (પૃ. ૨૮.) ૪ ઇ. સ. ૧૪૪૩ થી ઈ. સ. ૧૪૬૮ સુધીમાં થઈ ગયેલ રાણું કુંભનું એકલિંગમહાદેવમાતામ્ય (પૃ. ૩૨) તે સિવાય બે અસ્પષ્ટ લિંગવાળા લેખો છે. ૧ કુંભારાણુવિરચિત ગીતગોવિંદની રસિકપ્રિયા નામની ટીકા (પૃ. ૩૪.). ૨ તેના પુત્ર રાયમલસિંહને ઈ. સ. ૧૪૯૭ ને એકલિંગ મહાદેવના મંદિરને શિલાલેખ (પૃ. ૩૭ તથા ૭૦). - રસિકપ્રિયા નામની ટીકામાં બપ્પને દ્વિજપુંગવ અને તેના ગેત્રને બૈજવાપ કહેલ છે. એકલિંગ મહાદેવના મંદિરના શિલાલેખમાં તેને દ્વિજ, ડિજેન્દ્ર અને કિજવર કહેલ છે. તે તે સ્થળોએ તે વિષેની સવિસ્તર ચર્ચા કરી છે. અહીં તે માત્ર કિંજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય – એ ત્રણે વણેનો સમાવેશ થવા છતા, તેને બ્રાહ્મણ અર્થ શા માટે કરવામાં આવે છે, તેને ખુલાસે કરવાનું રહે છે. કુંભરાણના બીજા લેખોમાં મૂળ પુરૂષને વિપ્ર અને નાગર પણ કહેલ છે, ત્યારે આ લેખમાં દ્વિજ વાપર્યાથી ક્ષત્રિય કહેવાની તેઓની વિવેક્ષા હોય, તે યુક્ત નથી. તેમજ તેનું નેત્ર બજવાપ કહ્યું છે, તે કારણથી ત્યાં હિજનો અર્થ બ્રાહ્મણ જ ઘટી શકે. રાયમલજીના શિલાલેખમાં તે સ્પષ્ટ કહ્યું છે કે – “હારીતની કૃપાથી બપે રાજ્ય મેળવ્યું અને અનેક રાજકન્યાઓ પર.' તે વચનની સાથે સમરસિંહના લેખનાં વચનો – “બપિ પિતે બ્રાહ્મણ હતું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 132