Book Title: Mangal Ashtamangal Mahamangal Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 4
________________ ૧૧૪ જિનતત્વ मं गालयइ भवाओ मंगलमिहेवमाइ नेत्ता । (મું અથવા મા એટલે કે પાપને જે ગાળી નાખે છે તે મંગલ કહેવાય છે.) ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં “મંગલ” શબ્દ સમજાવતાં કહ્યું છે : मां गालयति भवादिति मंगलं संसारादपनयतीत्यर्थः । अथवा मा भूत शास्त्रस्य गलो विघ्नो अस्मादिति ।। [ મને ભવથી એટલે કે સંસારથી દૂર કરે છે એટલા માટે તે મંગલ છે. અથવા ગલ એટલે વિM. શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં અમને વિપ્ન ન હો માટે મંગલ.! - મંgિsfધગમ્મરું દિશં તેજી મંત્નિ દોર્યું ! अहवा मंगो धम्मो तं लाइ तयं समादत्ते ।। [ જેના દ્વારા હિતની માગણી કરવામાં આવે છે અને પ્રાપ્તિ થાય છે તે મંગલ કહેવાય છે. અથવા “મંગલનો અર્થ ધર્મ થાય છે અને એ જે ધર્મ પ્રાપ્ત કરે છે તે મંગલ કહેવાય છે. ] . મંગલ' શબ્દની બીજી કેટલીક વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે : मा गलो भूदिति मंगलम् । [ જે ગલ અર્થાત્ વિઘ્નનો નાશ કરે છે તે મંગલ. ] मद्यान्ति हृष्यन्ति अनेनेति मंगलम् । [ જેના વડે પ્રસન્નતા થાય તે મંગલ. ] महान्ते पूज्यन्तेऽनेनेति मंगलम् । [જેના વડે પૂજા થાય છે તે મંગલ] લોકજીવનમાં આવી માંગલિક વસ્તુઓની વિભાવના અત્યંત પ્રાચીન કાળથી જોવા મળે છે. સમય જતાં એને ધર્મકાર્યોમાં પણ સ્થાન મળ્યું. મોટા ધાર્મિક પ્રસંગોમાં માંગલિક વસ્તુઓનાં દર્શન અનિવાર્ય મનાયાં. વૈદિક, જૈન અને બૌદ્ધ પ્રાચીન ધર્મગ્રંથોમાં એના ઉલ્લેખો મળે છે. જૈન ધર્મમાં ચોવીસે તીર્થકર ભગવાનનાં લાંછનો, તેમનાં પ્રાતિહાર્યો, તીર્થકર ભગવાનની માતાને આવતાં ચૌદ (અથવા સોળ) સ્વખો, દેવદેવીઓનાં આયુધો, ઉપકરણો, વાહનો વગેરે મંગળમય મનાય છે. તે તે વસ્તુનું પોતાનું કે તેની આકૃતિનું દર્શન શુકનવંતું અને ઇષ્ટ ફળની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આમ મંગલ ગણાતી વસ્તુઓની યાદી ઘણી મોટી થાય છે. જેન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18