Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 12
________________ જિનતત્ત્વ નંદ અથવા નંદિ સાથે આવર્ત શબ્દ જોડાતાં નંદાવર્ત અથવા નંદ્યાવર્ત શબ્દ થાય છે. નંદ અથવા નંદિ શબ્દ આનંદના અર્થમાં છે. આવર્ત શબ્દના વળાંક, વર્તુળ, વમળ, ફરીથી આવવું ઇત્યાદિ અર્થો થાય છે. નંઘાવર્ત સુખના આવર્તનરૂપે છે. ૧૨૨ સાથિયો ચાર ગતિનો સૂચક છે તેમ નંદ્યાવર્ત પણ ચાર ગતિનો સૂચક છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક ગતિનું પાંખિયું અંદર વળાંક લઈ પછી બહાર નીકળે છે. ચાર ગતિરૂપ સંસાર આવર્ત એટલે કે વમળોથી ભરેલો છે. એમાંથી નીકળવું દુષ્કર છે. નદી કે સમુદ્રના પાણીમાં વમળમાં ફસાયેલો માણસ ડૂબી જાય છે. કોઈક જ ભારે બળ વાપરી એમાંથી બહાર નીકળી શકે છે. તેવી રીતે સંસારનાં આ વમળોમાં ન ફસાતાં સાવધાન બની બહાર રહેવું જોઈએ અને જો ફસાયા તો જબરો પુરુષાર્થ અને પરાક્રમ કરી એમાંથી બહાર નીકળવું જોઈએ. નંઘાવર્તનો અર્થ બીજી રીતે પણ ઘટાવાય છે. નંદ્યાવર્તમાં પ્રત્યેક લીટી કેન્દ્રથી બહાર નીકળે ત્યાં સુધીમાં એમાં નવ ખૂણા આવે છે.નવનો આંક નવ નિધિનો સૂચક છે. નવનો આંક અક્ષય મનાય છે, કારણ કે એને ગમે તેટલાથી ગુણવામાં આવે તો આવેલા જવાબનો સરવાળો ફરી નવ થઈ જાય છે. આથી નંદાવર્તને અક્ષય નિધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. નંદ્યાવર્ત સુખસમૃદ્ધિના આવાસ તરીકે પણ ઓળખાય છે. નંદ્યાવર્તની આકૃતિને ‘સર્વતોભદ્ર' પણ કહેવામાં આવે છે. ચારે બાજુથી એકસરખી સુંદર કલાત્મક આ મંગલ આકૃતિ ગમી જાય એવી છે. વર્ધમાનક – શરાવસંપુટ : ‘અષ્ટમંગલ’માં એક મંગલ તે વર્ધમાન છે. એનો અર્થ થાય છે : જે વૃદ્ધિ પામે છે અથવા જે વૃદ્ધિ કરે છે તે. વર્ધમાનક એટલે નાના કે મોટા કોડિયા જેવું માટીનું વાસણ (પછીથી એ ધાતુનું પણ થયું. એને માટે બીજો સંસ્કૃત શબ્દ છે ‘શરાવ’. આ શરાવના ખાડામાં ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મૂકી શકાય. જો ખાનારને મોડું થાય તો શરાવ પર બીજું શરાવ ઢાંકવા માટે વપરાય છે. આમ, એક શરાવ ઉપર બીજું શ૨ાવ ગોઠવવામાં આવે છે ત્યારે તે શ૨ાવસંપુટ બને છે. ક્યારેક ‘શરાવસંપુટ’ને બદલે ફક્ત ‘સંપુટ’ શબ્દ વપરાય છે. સંપુટ થવાથી વસ્તુ સુરક્ષિત બને છે. ઉપ૨નીચે એમ બંને બાજુથી એને રક્ષણ મળે છે. ઉપરનીચેનાં શરાવ ખસી ન જાય એટલા માટે એને નાડાછડીથી બાંધવામાં આવે છે. (શરાવ પરથી ‘સાવલાં’ શબ્દ આવેલો છે.) લગ્નવિધિમાં શરાવસંપુટનો ઉપયોગ મંગલક્રિયા તરીકે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18