Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 172
________________ ૧૫. ભાવનાઓ પમી ભાવનાઃ તે નિર્ચથ સ્ત્રી, માદાપશુ કે નપુંસકથી સેવાયેલ આસન કે શયન ન વાપરે. આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. પાંચમું મહાવ્રતઃ હું સર્વ પ્રકારના પરિગ્રહ૧ [આસક્તિ - યાવજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની મા મેટી, સચિત્ત કે અચિત્ત એવી કોઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધિ નહીં રાખું. [વગેરે ઉપર મુજબ.] તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ૧લી ભાવના: તે નિથ કાનથી મનહર શબ્દો સાંભળી, તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે; તેમ જ ન ગમતા શબ્દ સાંભળી કેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિને ભેદ થાય. અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી; પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨છ ભાવનાઃ તે નિર્ગથ આંખથી મનોહર રૂપ દેખી, તેમાં આસક્તિ વગેરે ન કરે; તેમ જ ન ગમતાં રૂપે દેખી દ્વેષ ન કરે. આંખે રૂપ ચડતાં અટકાવવા શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. ૩છ ભાવનાઃ તે નિગ્રંથ નાકથી મનહર ગંધ સુધી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા ગંધ સુંધી ઠેષ ન કરે. નાકે ગંધ આવતે અટકાવે શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષએ ત્યાગવા. કથી ભાવનાઃ તે નિર્ગથ જીભથી મનગમતા સ્વાદ ચાખી, તેમાં આસક્તિ ન કરે; તેમ જ ન ગમતા સ્વાદ ચાખી દોષ ન કરે. ૧. પરિગ્રહ એટલે પળમાં રાગદ્વેષકૃદ્ધિ જુઓ આગળ તે વતની ભાવનાઓમાં શ્લોકની કડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194