Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 170
________________ ૧૫. ભાવનાઓ ૧૫૩ ત્યાગ કરું છું. ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી, હું મન વાણી કાયાથી અસત્ય નહીં આચરું, બીજા પાસે નહીં આચરાવું, કે કોઈ આચરતે હશે તેને અનુમતિ નહીં આપું. (હું તે પાપમાંથી નિવૃત્ત થાઉં છું, વગેરે ઉપર પ્રમાણે) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છેઃ ૧લી ભાવનાઃ તે નિગ્રંથ વિચારીને બોલે. કારણ કે વગર વિચાર્યું બેલવા જતાં જૂઠ બેલાઈ જવાય. રજી ભાવનાઃ તે નિગ્રંથ ક્રોધને ત્યાગ કરે. કારણ કે ગુસ્સામાં આવી જઈ જૂઠ બેલાઈ જવાય. ૩જી ભાવનાઃ તે નિગ્રંથ લેભનો ત્યાગ કરે. કારણ કે, લેભમાં તણાઈ જૂઠ બેલાઈ જવાય. ૪થી ભાવનાઃ તે નિર્ચથ ભયને ત્યાગ કરે. કારણ કે, ભયમાં આવી જઈ જૂઠ બેલાઈ જવાય. ૫મી ભાવનાઃ તે નિગ્રંથ હાસ્યનો ત્યાગ કરે. કારણ કે, ટીખળ – મશ્કરીમાં જૂઠ બેલાઈ જવાય. આટલું કરે, તે તે મહાવત બરાબર આચર્યું કહેવાય. (વગેરે ઉપર મુજબ.) - ત્રીજું મહાવતઃ હું સર્વ પ્રકારની ચોરીને માવજીવન ત્યાગ કરું છું. ગામ, નગર કે અરણયમાં ડું યા ઘણું, નાનું યા મોટું સચિત્ત કે અચિત્ત એવું કશું જ હું બીજાએ આપ્યા વિના ઉઠાવી નહીં લઉં, બીજા પાસે નહીં લેવરાવું, કે કોઈ લેતે હશે તેને અનુમતિ નહિ આપું, વગેરે ઉપર મુજબ.) તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે: ૧લી ભાવનાઃ તે નિગ્રંથ વિચાર કરીને મિત પ્રમાણમાં વસ્તુઓ માગે; નહીં તે તેનાથી ચોરીને દેષ થઈ જવાને. ૧. મૂળઃ “અનાદાન” – ન આપેલું લેવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194