Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 179
________________ મહાવીર સ્વામીને આચારધર્મ વિદેહ ક્ષેત્ર એ કર્મભૂમિ ગણાય છે. બાકીનાં બધાં ક્ષેત્રો અકર્મભૂમિ છે. કર્મભૂમિમાં પણ ભારત અને ઐરાવત દરેકના સાડીપચીસ-સાડીપચીસ દેશ, તથા વિદેહના ૩૨ વિજય” એ આર્યપ્રદેશ કહેવાય છે. બાકીના સ્વેચ્છ. થાળી જેવા જંબુદ્વિીપની આસપાસ ચૂડીના આકારને લવણસમુદ્ર છે. તેમાં પ૬ અંતરદ્વીપ છે. તે મનુષ્યલોક છે, પણ કર્મભૂમિ નથી. એ લવણસમુદ્રની આસપાસ ગોળ ફરતે ચૂડી આકારને ધાતકીખંડ દ્વીપ છે. તેમાં સાતે ક્ષેત્રે જંબુદ્વિપના નામનાં જ છે, પણ તે દરેકની સંખ્યા બબ્બે છે. એટલે તેમાં કુલ ૧૪ ક્ષેત્ર છે. તે ધાતકીખંડની આસપાસ પાછો ગળ ફરતે ચૂડીના આકારને કાલેદધિ સમુદ્ર છે. તેમાં અતરાપ નથી. તે કાલેદધિની આસપાસ ગોળ ફરતો ચૂડીના આકારને પુષ્કરવાર દ્વીપ છે. તેમાં પણ સાતે ક્ષેત્રે જંબુદ્વીપના નામનાં જ છે, પણ તે દરેકની સંખ્યા ચાર ચાર છે. એટલે તેમાં કુલ ૨૮ ક્ષેત્ર છે. તે પુષ્કર દ્વીપની બરાબર વચમાં ગેળ ફરતે કંકણ જે માનુષેત્તર પર્વત છે. તેનાથી પુષ્કરદ્વીપની ચૂડી વચમાંથી સળંગ ગોળ બે ભાગમાં વહેચાઈ જાય છે. અર્થાત એક નાની ચૂડીની ફરતે બરાબર એક મોટી ચૂડી મૂકી દીધી હોય, તેવા તેના બે ભાગ પડી જાય છે. તે દરેક ભાગમાં પેલાં સાત ક્ષેત્રે બબ્બેની સંખ્યામાં એટલે ૧૪–૧૪ વહેચાઈ ગયાં છે. હવે જંબુદ્વીપ, ધાતકીખંડ અને માનુષત્તર પર્વત સુધીને બધે પુષ્કરદ્વીપ એ મનુષ્યલોક કહેવાય છે. તેની બહાર કઈ મનુષ્ય જન્મ પામતું નથી. અર્થાત કુલ પાંચ ભરતક્ષેત્રે (એક જંબુનું, બે ધાતકીનાં, અને બે પુષ્કરનાં), એમ સાતે ક્ષેત્રો પાંચ પાંચ થઈને કુલ ૩૫ ક્ષેત્રે, અને લવાસમુદ્રવાળા પ૬ અંતરદ્વીપ એ મનુષ્યની પેદાશવાળાં છે. તેમાંથી પાંચ ભરત, પાંચ રવત ક્ષેત્ર, અને દેવકુરુ-ઉત્તરકુરુ વિનાના) પાંચ વિદેહ ક્ષેત્રે એ કર્મભૂમિ છે – બાકીનાં વીસ ક્ષેત્રે અને અંતરદ્વીપ અકર્મભૂમિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194