Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
View full book text
________________
પ્રદેશ.
પ્રદેશ.
(૨) નૈતિક ચેતના
(૩) આધ્યાત્મિક ચેતના
એમની ત્રણ ક્રિડાભૂમિઓ છે ઃ
(૧) પદાર્થ ચેતનાની ક્રિડાભૂમિ : ગુદાથી નાભિ સુધીનો પ્રદેશ.
(૨) નૈતિક ચેતનાની ક્રિડા ભૂમિ : નાભિથી ઉપર, કંઠ સુધીનો
(૩) આધ્યાત્મિક ચેતનાની ક્રિડાભૂમિ ઃ ચિબુકથી માથા સુધીનો
ચેતાનાનું સ્તર બદલવાથી જ નૈતિક ચેતના અને આધ્યાત્મિક ચેતના વિકસે છે.
લોભ, કામવાસના, ક્રોધ, અહંકાર જેવા કષાયો અથવા કર્માશયોનો સંબંધ નાભિ અથવા તેનાથી નીચેનાં કેન્દ્રોમાં છે. આ કેન્દ્રોમાં ચેતનાની પુનરાવૃત્તિ સ્વાર્થ, આવેશ, ઉત્તેજના, સત્તા, અધિકાર, વિષયલોલુપતા જેવાં કર્મોને જન્મ આપે છે.
નાભિથી ઉપરનાં કેન્દ્રોમાં ચેતનાની પુનરાવૃત્તિ પ્રામાણિકતા, સત્ય, નિષ્ઠા, નિઃસ્વાર્થભાવ, વિનમ્ર વ્યવહાર, સરળતા, સંતોષ, કરુણા વગેરે કર્નોને જન્મ આપે છે
કન્ડથી ઉપરનાં કેન્દ્રોમાં ઉપસ્થિત ચેતના, આત્માનુભૂતિ, નૈસર્ગિક સુખ, સમતા, મૈત્રી, પ્રમોદ (આનંદ), તટસ્થભાવ, આત્મ-નિરીક્ષણ વગેરેને જન્મ આપે છે.
આધ્યાત્મિક ચેતના
આધ્યાત્મિક ચેતનાનો સ્તર વિકસિત થવાને કારણે વ્યક્તિમાં એક વિશિષ્ટ પ્રકારનાં જીવનલક્ષણો અભિવ્યક્ત થાય છે, જેમકે ઃ
(૧) પોતાની અસમર્થતાનો સ્વીકાર કરવાની ક્ષમતા. (૨) પોતાની ભૂલનો સ્વીકાર કરવાની ક્ષમતા. (૩) અહં-મમુના પરિષ્કારની ક્ષમતા.
(૪) પોતાની ભૂલના પરિષ્કાર (શુદ્ધીકરણ)ની ક્ષમતા. (૫) આગ્રહના પરિષ્કારની ક્ષમતા.
(૬) લક્ષ્ય ૫૨ એકાગ્રતાની ક્ષમતા.
(૭) બીજાની વિશેષતાને સ્વીકારવાની ક્ષમતા.
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ – ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174