Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ જોઈએ. જેને પોતાના શ્રમ અને કર્મ ઉપર વિશ્વાસ છે, તે ક્યારેક શ્રમ અને સ્વાવલંબનની ઉપેક્ષા નહિ કરે. જેમનું મગજ-મન શ્રમનિષ્ઠ નથી હોતું તેઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે બહુ કલ્યાણકારી નથી હોતા, ઉપયોગી નથી નિવડતા. લોકતંત્રનો આધાર છે ‘વ્યક્તિ'. તેના મનમાં જો શ્રમ પ્રત્યે નિષ્ઠા - શ્રદ્ધા ન હોય, તો સ્વસ્થ રાષ્ટ્રનું નિમાર્ણ સંભવી શકે ખરું ? દરેક વ્યક્તિની જીવનશૈલીનું પ્રમુખ તત્ત્વ છે. સ્વાવલંબન. સ્વાવલંબનનું તાત્પર્ય છે : બીજાના શ્રમનું શોષણ ન કરવું. સ્વાવલંબન અને શ્રમ માટે જો નિષ્ઠા બળવાન અને નક્કર બની રહે, તો તે સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયેગી અને વરદાન સમાન સાબિત થઈ શકે. લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174