________________
જોઈએ. જેને પોતાના શ્રમ અને કર્મ ઉપર વિશ્વાસ છે, તે ક્યારેક શ્રમ અને
સ્વાવલંબનની ઉપેક્ષા નહિ કરે. જેમનું મગજ-મન શ્રમનિષ્ઠ નથી હોતું તેઓ પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે બહુ કલ્યાણકારી નથી હોતા, ઉપયોગી નથી નિવડતા. લોકતંત્રનો આધાર છે ‘વ્યક્તિ'. તેના મનમાં જો શ્રમ પ્રત્યે નિષ્ઠા - શ્રદ્ધા ન હોય, તો સ્વસ્થ રાષ્ટ્રનું નિમાર્ણ સંભવી શકે ખરું ? દરેક વ્યક્તિની જીવનશૈલીનું પ્રમુખ તત્ત્વ છે. સ્વાવલંબન. સ્વાવલંબનનું તાત્પર્ય છે : બીજાના શ્રમનું શોષણ ન કરવું. સ્વાવલંબન અને શ્રમ માટે જો નિષ્ઠા બળવાન અને નક્કર બની રહે, તો તે સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ ઉપયેગી અને વરદાન સમાન સાબિત થઈ શકે.
લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org