Book Title: Loktantra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 141
________________ સ્વતંત્રતા અને નિયંત્રણ અવતના વિચારકને પૂછવામાં આવે, “સમાજવ્યવસ્થાનો મૂળ આધાર શો છે ?” તો તેનો જવાબ હોય, “સમાજવ્યવસ્થાનો મૂળાધાર હોય અનેકાંતવાદ.” આપણે આ સત્યને સમજીએ. વ્યક્તિઓથી સમાજ બન્યો કે જંગલોથી ? જંગલોમાંથી શહેર બન્યાં છે, જંગલોમાં સમાજ ન હતો. જંગલોમાં રહેવાનું બંધ થયું અને સમાજની રચના થઈ ત્યારે કહેવાયું કે – જંગલમાં બધા સ્વતંત્ર હતા. સમાજની રચના ભલે થાય, પણ આપણી સ્વતંત્રતા અખંડ રહેવી જોઈએ. આ છે સમાજવ્યવસ્થાની પ્રથમ શરત. સમાજવ્યવસ્થાનો પ્રથમ આધાર બને છે : સ્વતંત્રતા, પરંતુ તેનાથી સમસ્યાનો પૂર્ણ ઉકેલ મળતો નથી. પ્રશ્ન ઉભવ્યો, “જ્યાં હજારોની સંખ્યામાં માનવી મળશે, ત્યાં સ્વતંત્રતાનો પ્રશ્ન તો ઊભો રહેવાનો જ, સ્વતંત્રતામાં અડચણ પેદા થવાની જ. “આવી સ્થિતિમાં શું કરવું ?' ઉકેલ મળ્યો, “સ્વતંત્રતાની સાથે નિયંત્રણ પણ જરૂરી છે.” અનેકાન્તનું પ્રથમ સૂત્ર બન્યું. ‘સ્વતંત્રતા અને નિયંત્રણ'. નિયંત્રણ એટલા માટે કે દરેકની સ્વતંત્રતા જળવાઈ રહે. સ્વતંત્રતાની પણ એક મયદા હોવી જોઈએ. જ્યાં નિયંત્રણ ન હોય, ત્યાં સ્વતંત્રતા ન ટકી શકે. નિયંત્રણનો અર્થ છે ? એક-શક્તિશાળી વ્યક્તિ પણ, કોઈ દુર્બળ વ્યક્તિની સ્વતંત્રતામાં વિઘ્નો પેદા ન કરે. આ સ્વતંત્રતા અને નિયંત્રણનું સંતુલન સમાજવ્યવસ્થાનો પ્રથમ અને મૌલિક આધાર છે. સમાનતા અને અસમાનતાનું સામંજસ્યઃ સમાજવ્યવસ્થાનો બીજો આધાર શોધાયો : સમાનતા. સૌ કોઈ પ્રત્યે સમાન વ્યવહાર કરવો જોઈએ. “સમાન અધિકાર’ શબ્દ ખૂબ સુંદર લાગે છે, પરંતુ તે વાત એકાંતિક ન હોઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું,- હીને જે સિત્તે' કોઈ હીણ નથી, કોઈ વિશેષ નથી, આ નિશ્ચયનયની વાત બની શકે, પરંતુ વ્યવહારમાં આ નિયમ શક્ય નથી. વ્યવહારમાં હીણતા અને વિશેષતા પ્રકૃતિના નિયમો સમાન છે. જ્યાં આપણે શરીર સાથે, પ્રાણ સાથે, મગજ સાથે જીવીએ છીએ, ત્યાં અસમાનતા ભરપૂર રહેલી છે. સમાનતાની વાત સર્વત્ર એકરૂપતામાં કેવી રીતે લાગુ થઈ શકે ? જ્યાં ન્યાય અને ઔચિત્યનો પ્રશ્ન છે, ત્યાં સમાનતા પણ છે, સમાનતા પણ છે. જ્યારે આર્થિક દષ્ટિએ સમાનતાની વાત વિચારાઈ, ત્યારે એક મજૂરને ઓછામાં ઓછું આટલું તો મળવું જ જોઈએ એવો વિચાર કરાયો, જેથી તેના કુટુંબનું ભરણપોષણ થઈ શકે. આ ન્યૂનતમ આવક તો નક્કી કરાઈ પરંતુ અધિકતમ આવક નક્કી ના કરાઈ. સામ્યવાદી અર્થવ્યવસ્થામાં પણ, જ્યાં એક મજૂરને પાંચસો-હજાર રૂબલ મળતા, ત્યાં એક લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174