Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ મહારાજ સાહેબ, આપ સાચા છો. મનમાં જાગતી મોટા ભાગની ઇચ્છાઓ તો ગલત જ હોય છે, નિંઘ જ હોય છે. એ ઇચ્છાઓને માણસો જો સહુ સમક્ષ પ્રગટ કરતા જ રહે અને એ ઇચ્છાઓને સફળ બનાવવા જો પ્રવૃત્ત થવા જ લાગે તો આ જગતમાં અરાજકતા અને અંધાધૂંધી ફેલાયા વિના ન જ રહે એ નિર્વિવાદ વાત છે. પણ તો પછી પ્રશ્ન મનમાં એ થાય છે કે ‘દમન’ના આ વિકલ્પને એકાંતે સારો માનવામાં કેમ નથી આવ્યો ? આપે જ પૂર્વના પત્રમાં બાબાના દૃષ્ટાન્તમાં જણાવ્યું છે ને કે મમ્મીના ડરથી બાબો આઇસક્રીમની માંગ એકવાર દબાવી પણ દે છે તો ય એનું મન તો સતત ધુંધવાયેલું જ રહે છે. આનું કોઈ સમાધાન ? જય, દમનનું રૂપાંતરણ જો ભક્તિમાં કરી દેવામાં આવે છે તો એ દમન ઉપકારક બન્યું રહે છે પરંતુ દમનથી ત્રાસી જઈને જો ભોગને સ્વીકારી લેવામાં આવે છે તો એ દમન ત્રાસદાયક બન્યું રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દમનને ચિરસ્થાયી તો ન જ રાખી શકાય. જે વૃત્તિનું દમન કર્યું હોય એ વૃત્તિને જો અન્ય વિષયમાં ૧ ૩૧ રૂપાંતરિત કરી દેવામાં આવે તો આત્મા સંખ્યાબંધ નુકસાનીમાંથી ઊગરી ગયા વિના ન જ રહે. અલબત્ત, સમષ્ટિની સલામતી તો ‘દમન’ના વિકલ્પના સ્વીકારમાં જ છે. જે પણ પ્રશ્ન છે. એ વ્યક્તિગત સલામતી અને સ્વસ્થતાનો છે. જય. તારા જ જીવનના બાલ્યવયના અનુભવને તું સ્મૃતિપથ પર લાવી દે ને ? એ વયમાં મમ્મી-પપ્પાએ તારી ભણવા ન જવાની ઇચ્છાની નોંધ લીધા વિના તને સ્કૂલે ભણવા મોકલ્યો છે. તું કદાચ રડ્યો પણ છે તો તારા એ રુદનની પણ એમણે કોઈ નોંધ નથી લીધી પણ જેવો તું સમજણની વયમાં આવ્યો છે પછી, તારા પર એમને કોઈ જ દબાણ કરવું પડ્યું નથી. તું પોતે સામે ચડીને સ્કૂલે જવા લાગ્યો છે. આ વાસ્તવિકતાનો તાત્પર્યાર્થ એટલો જ છે કે જ્યાં સુધી સારાસારનો વિવેક ન હોય, લાભાલાભની સમજણ ન હોય હિત અહિતનો ખ્યાલ ન હોય ત્યાં સુધી ‘દમન’ લાભકારી જ છે અને જ્યાં એ વિવેક, સમજણ અને ખ્યાલ આવી જાય છે ત્યાં સહજરૂપે મન દમનમુક્ત થઈ જાય છે. ઇચ્છું છું હું કે આ વાસ્તવિકતાને સમજવામાં તું જરાય અવઢવમાં ન રહે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51