Book Title: Kalpsutra Author(s): Bhadrabahuswami, Punyavijay, Bechardas Doshi Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (જુનામાં જુની હેવા છતાં ખંડિત અને અસ્તવ્યસ્ત પાઠવાળી હોવા ઉપરાંત ઘણી જ અશુદ્ધ હેવાથી તેને મેં મૌલિક તરીકે સ્વીકારવી પસંદ કરી નથી. મિલિક આદર્શ તરીકે તે મેં ઉજમબાઈની ધર્મશાલાના શ્રી મૂલચંદજી મહારાજના જ્ઞાનભંડારની પ્રતિને જ સ્વીકારી છે. એ પ્રતિ ઉપરથી સ્વતંત્ર નવી પ્રસકેપી કરાવીને નવેસર અક્ષરશઃ ઉપરોક્ત પ્રાંતિઓ સાથે સરખાવીને તૂટતા પાઠેની પત્તિ, અશુદ્ધિઓનું પરિમાર્જન અને પાદાની નેધ કરવામાં આવી છે. આ ઉપરથી વિદ્વાને એ સમજી જશે કે તેમના હાથમાં વિદ્યમાન પ્રસ્તુત કલ્પસૂત્ર, એક પ્રાચીન પ્રતિનું સંપૂર્ણ એકધારું સ્વરૂપ છે. કલ્પસૂત્રની પ્રતિઓનું સ્વરૂપ ભાષા અને મૌલિક પાઠ-આજે આપણા સામે કલ્પસૂત્રની જે પ્રાચીન તાડપત્રીય કે કાગળની પ્રતિઓ વિદ્યમાન છે, તેમાં વિક્રમના તેરમા સૈકા પહેલાંની એક પણું પ્રતિ નથી. તેમાં પણ પાંભાતના શ્રી શાંતિનાથજીના પ્રાચીન તાડપત્રીય ભંડારની એક પ્રતિ, કે જે વિક્રમ સંવત ૧ર૪૭માં લખાયેલી છે, તેને બાદ કરતાં બાકીની બધીય પ્રતિએ વિક્રમના ચૌદમા અને પંદરમા સૈકાની અને મોટા ભાગની પ્રતિઓ તે પછીના સમયમાં લખાયેલી છે. આ બધી પ્રતિઓમાં ભાષાષ્ટિએ અને પાઠની દૃષ્ટિએ ઘણું ઘણું સમવિષમપણે છે, અને પછી ગયેલા પાઠે, ઓછાવત્તા પાઠે તેમ જ અશુદ્ધ પાઠેની પરંપરા વિશે તે પૂછવાનું જ શું હોય! આજે આપણા માટે અતિદુઃખની વાત જ એ છે કે-જેસલમેરદુર્ગના ખતરરાષ્ટ્રીય યુગપ્રધાનપ્રવર આચાર્યશ્રીજિનભદ્રસૂરિના પ્રાચીનતમ જૈન જ્ઞાનભંડારમાંથી મળી આવેલ અનુમાન દશમાં સૈકાની આસપાસમાં લખાયેલી વિશેષાવશ્યક મહાભાષ્યની પ્રતિ જેવા કોઈ રડ્યાખડ્યા અપવાદ સિવાય, કઈ પણ જૈન આગમની મૌલિક પ્રાચીન કે અર્વાચીન સાવંત સોપાંગ અખંડ શુદ્ધ પ્રતિ એક પણ આપણા સમક્ષ નથી. તેમ જ ચૂર્ણિકાર ટીકાકાર આદિએ કેવા પાઠ કે આદર્શને અપનાવ્યા હતા એ દર્શાવનાર આદર્શો–પ્રતિઓ પણ આપણા સામે નથી. આ કારણુસર કલ્પસૂત્રની મૌલિક ભાષા ને તેના મૌલિક પઠાના સ્વરૂપનો નિર્ણય કરે અપણા માટે અતિદુષ્કર વસ્તુ છે. અને એ જ કારણને લીધે આજના દેશી -પરદેશી ભાષાશાસ્ત્ર વિદ્વાને એ આજની અતિઆર્વાચીન હસ્તપ્રતિઓના આધારે જૈન આગમોની ભાષાવિષે જે કેટલાક નિર્ણય બાંધેલા છે કે આપેલા છે એ માન્ય કરી શકાય તેવા નથી. જર્મન વિદ્વાન ડો. એલ, આસડેરું મહાશય ચાલુ વર્ષમાં જેસલમેર આવ્યા ત્યારે તેમની સાથે આ વિશેની ચર્ચા થતાં, તેમણે પણ આ વાતને માન્ય રાખીને જણાવ્યું હતું કે આ વિષે પુનઃ ગંભીર વિચાર કરવાની જરૂરત છે. ” આ પરિસ્થિતિમાં કલ્પસૂત્રની મલિક ભાષા અને તેના માલિક પાઠની ચિન્તાને જની કરીને, માત્ર એની અત્યારે મળી શકતી પ્રાચીન પ્રતિઓ અને સૂર્ણી, ટિપનક, ટકાર વગેરેને આશ્રય લઈ મલિક પાઠની નજીકમાં આવી શકે તેવી આવૃત્તિ તૈયાર કિરદા પ્રયત્ન કર્યો છે અને તે સાથે વિવિધ પાઠભેદો અને પ્રત્યેનતની ધ પણ તે તે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 255