Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 19
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨). શ્રી જંબૂસ્વામી-ચરિત્ર નહિ આવું પરંતુ મહાવ્રત લઈને અહીં જ ગુરુની પાસે સ્વાત્માનુભવ કરીશ. ત્યારે રાજાએ કહ્યું- “હે પુત્ર! હજી તમારી બાલ્યાવસ્થા છે, કોમળ શરીર છે, જિનદીક્ષા અત્યંત કઠણ છે માટે થોડા દિવસ અમારા મનોરથ પૂરા કરો. પછી સમય મેળવીને વ્રત લેજો. આ અવસ્થા તપ કરવા માટે નથી ઇત્યાદિ ભિન્નભિન્ન પ્રકારે રાજાએ સમજાવ્યો પરંતુ જ્યારે જોયું કે કુમાર માનતો જ નથી ત્યારે લાચાર થઈને કહેવા લાગ્યા- “પુત્ર! જો તમારે આમ જ કરવું હોય તો મુનિવ્રત ન લેતા ક્ષુલ્લકના વ્રત લ્યો અને જો એમ નહિ કરો તો હું પ્રાણ ત્યાગ કરીશ. ત્યારે શિવકુમારે માતા-પિતાના વચન પ્રમાણે ક્ષુલ્લકના વ્રત લીધા. ઘરમાં જ રહીને ચોસઠ હજાર વર્ષ સુધી ફક્ત ભાત અને પાણીનો આહાર લઈને નિરંતર ધર્મ ધ્યાનમાં સમય વીતાવ્યો અને સાગરચંદ્ર મુનિ ત્યાંથી વિહાર કરીને ઉગ્ર તપશ્ચરણ કરતાં સમાધિમરણ કરી બ્રહ્મોતર નામના છઠા સ્વર્ગમાં દેવ થયા અને શિવકુમાર શુલ્લક પણ સમય થતાં સમાધિ મરણ કરી તે જ બ્રહ્મોતર સ્વર્ગમાં દેવ થયા અને પૂર્વ તપના પ્રભાવથી જુદા જુદા પ્રકારના સુખ ભોગવવા લાગ્યા. માટે હું રાજ! આ વિધુમ્માલી દેવ પૂર્વની તપસ્યાના પ્રભાવને કારણે આવો અભુત કાંતિમાન થયો છે.” પછી રાજા શ્રેણિકે વિનયયુક્ત થઈને પૂછ્યું- “હે પ્રભો ! એમની વિશેષ વાત સાંભળવા ઇચ્છું છું તો કૃપા કરીને કહો. ત્યારે સ્વામી બોલ્યા- “અંગ દેશમાં ચંપાપુરી નામની એક નગરી છે. ત્યાં સૂરમેન નામનો એક શેઠ રહેતો હતો. તેને અત્યંત રૂપાળી ચાર સ્ત્રીઓ હતી. એક વખત કોઈ પૂર્વ પાપના ઉદયથી શેઠને વાયુરોગ થયો, તેથી તે પાગલની જેમ બકવાટ કરવા લાગ્યો તથા સ્ત્રીઓને જુદા જુદા પ્રકારે કષ્ટ આપવા લાગ્યો. ત્યાં સુધી વાત બની કે તેણે ચારે સ્ત્રીઓના નાક કાન પણ કાપી નાખ્યા તેથી તે અત્યંત દુઃખી થઈને વાસુપૂજ્ય સ્વામીના ચૈત્યાલયમાં જઈ આર્થિકા થઈ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57