Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર | ૩૦) આકાશ માર્ગે ક્ષણવારમાં રાજગૃહી આવ્યા. રાજા શ્રેણિક અને નગરજનો સ્વામીના આગમનના સમાચાર સાંભળીને આગળ આવ્યા અને બધા પરસ્પર ભેટયા, પરસ્પર “જુહાર' કહીને કુશળ સમાચાર પૂછયા. બધાએ મળીને નગરમાં પ્રવેશ કર્યો. અહો! “નિરખત કુંવર સબહિ હર્ષાયે, મનહુ અંધ ફિર લોચન પાય.” સૌથી પહેલાં તેઓ રાજમહેલમાં ગયા ત્યારે રાજા શ્રેણિકે તેમને અર્ધા સિંહાસન ઉપર બેસાડયા અને બીજા બધાને પણ યોગ્ય સ્થાન આપીને સન્માનિત કર્યા; કુશળ સમાચાર પૂછી રાજા સ્વામીની નમ્ર વચનોથી સ્તુતિ કરવા લાગ્યા “હે કુમાર! આપના પ્રભાવે અમને અલભ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ. ધન્ય છે આપને કે જે કાર્ય અશક્ય હતું તે પણ આપે સુગમ કરી દીધું.” ત્યારે સ્વામીએ પણ શિષ્ટાચારપૂર્વક ઉચિત જવાબ આપ્યો અને પછી સાથે આવેલા વિદ્યાધર રાજાઓનો શ્રેણિકને પરિચય કરાવ્યો. બધા પરસ્પર નમસ્કાર કરીને પ્રેમપૂર્વક મળ્યા અને સ્વામીનો ઉપકાર માનવા લાગ્યા કે આપના જ પ્રતાપે આપણે બધા મળી શક્યા છીએ ઇત્યાદિ પ્રશંસાવચન કહ્યાં. પછી રાજા શ્રેણિકના લગ્ન રાજા મૃગાંકની પુત્રી સાથે બહુ આનંદથી થયા. સ્વામી ઘરમાં વિરકતપણે રહેતાં હતાં અને અવસરની પ્રતિક્ષા કરતા હતા કે ક્યારે એવો સમય આવે કે હું જિનદિક્ષા લઈને આ સંસારના કલેશનો નાશ કરે. બધા લોકો થોડા દિવસ રહ્યા અને પછી આજ્ઞા લઈને પોતપોતાના નિવાસસ્થાનમાં ચાલ્યા ગયા. રાજા શ્રેણિક પણ નિઃશંકપણે સુખપૂર્વક કાળ વ્યતીત કરવા લાગ્યા. આ પ્રમાણે કેટલાક દિવસો વીતી ગયા. એક દિવસ રાજા સભામાં બેઠા હતા ત્યાં વનપાળે આવીને વિનંતી કરી-“હે નાથ! આ નગરની સમીપમાં એક મહામુનિનાથ પધાર્યા છે જેથી વનની શોભા અત્યંત વધી ગઈ છે. સાપ અને નોળિયો, ઊંદર અને બિલાડી, સિંહું અને બકરી આદિ જાતિવિરોધી જીવો પણ પરસ્પર મૈત્રીભાવથી પાસપાસે બેઠા છે.” આ સમાચાર સાંભળી રાજાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57