Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 39
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ચાહે મન ભાવે નહિં, ત૬ ગુરુજનકી સીખ; કબહું ભૂલ નહિં લોપિયે, લોપે માંગે ભીખ.” સ્વામીને ઘેર આવેલા જોઈને માતાપિતા ખૂબ સુખી થયા અને સ્નેહથી કહેવા લાગ્યા-“પુત્ર! ઉઠો, મહેલમાં પધારો, આ ભોગોપભોગની સામગ્રી તૈયાર છે તે ભોગવો અને અમારી આંખો ઠારો. આપને આનંદિત જોઈને અમને આનંદ આવે છે. તે યોગ્ય જ છે ક્રિીડા કરત બાલ લખ સોઈ, માતુ પિત મન અતિસુખ હોઈ.” તે વખતે સંસારથી પરામુખ સ્વામી પોતના માતપિતાના આ સ્નેહપૂર્ણ વચનો સાંભળીને બોલ્યા- “હે પિતા! આ ઇન્દ્રિય ભોગ તો આપણે અનાદિકાળથી ભોગવ્યા છે. જયાં આપણે ઇન્દ્રાદિના વૈભવો ભોગવીને પણ તૃતિ પામ્યા નથી તો આ શુદ્ધ આયુષ્યવાળા મનુષ્યભવમાં શું તૃપ્તિ મળશે? મનુષ્યભવમાં તો એવું અપૂર્વ કામ કરવું જોઈએ કે જે તિર્યંચ, નારકી કે દેવ કરી શકતા નથી. ઇન્દ્રિયના વિષયો તો ચારેય ગતિમાં પ્રાપ્ત થઈ શકે છે પરંતુ અતીન્દ્રિય સુખની પ્રાપ્તિનું સાધન આ મનુષ્ય પર્યાય સિવાય બીજી કોઈપણ પર્યાયમાં થઈ શકતું નથી. માટે હે પિતા! મને શીઘ્ર તે અખંડ, અવિનાશી, ચિરસ્થાયી, સાચું આત્મિક સુખ પ્રાપ્ત કરવાની (જિનદીક્ષા લેવાની ) આજ્ઞા આપો કેમ કે પ્રથમ તો આ કાળે આયુષ્ય જ બહુ ટૂંકુ હોય છે. અને તેમાંથી પણ ઘણો ભાગ તો વીતી ગયો છે અને બાકીનો પણ પળ, ઘડી, દિવસ, પક્ષ, ઋતુ રૂપે વીતતો જાય છે અને ગયેલો સમય પાછો આવતો નથી, તેથી હવે વિલંબ કરવો યોગ્ય નથી. આજ્ઞા આપો, હું આજે જ દિક્ષા લઈશ.” - સ્વામીના આ વચનો જો કે અત્યંત હિતરૂપ હતા અને સ્વામીને તો શું દરેક સંસારી જીવોને સંસારના બંધનથી છોડાવનાર હતા પરંતુ મોહવશ માતા-પિતાના હદયમાં આ વચનોએ તીરનું કામ કર્યું. બરાબર છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57