Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬) શ્રી જંબૂસ્વામી-ચરિત્ર પેલાને શિંગડુ મારશે. બસ પછી તમે એને મારવા માંડજો અને રાડો પાડજો કે દોડો, દોડો બળદે મારા દીકરાને મારી નાખ્યો. આમ કાર્ય થઈ જશે અને કોઈને ખબરેય નહિ પડે. એટલે પેલો કામાંધ કાછી આ વાતમાં સંમત થયો પરંતુ આ બધી વાત કોઈ પણ રીતે તેના પુત્રે સાંભળી લીધી. જ્યારે સવાર પડી ત્યારે કાછિયાએ પુત્રને આજ્ઞા કરી કે હળ લઈને ખેતર ખેડવા ચાલ. છોકરાએ તે પ્રમાણે કર્યું. તે હળ લઈને ખેતરમાં ગયો અને જે ખેતરમાં ધાન્ય પાકી ગયું હતું તેમાં જ તે હળ ફેરવવા લાગ્યો. એટલામાં કાછી આવ્યો અને ગુસ્સાથી કહેવા લાગ્યો- ‘અરે મૂર્ખ! તેં આ શું કર્યું? ચાર મહિનાની કમાણી ખોઈ નાખી.' છોકરાએ જવાબ આપ્યો- ‘પિતાજી! આમાં શું અનાજ થવાનું? હવે એને ખેડીને એમાં ઘઉં અને ચણા વાવીશું એટલે વૈશાખમાં ખાઈ શકીશું.” ત્યારે કાછિયાએ કહ્યું કે ‘બેટા! તું અત્યંત મૂર્ખ છે. અત્યારે પાકીને તૈયાર થયેલું ધાન્ય તો તું નષ્ટ કરે છે અને ભવિષ્યની આશા કરે છે? આગળ કોણ જાણે શુંય થાય? આ સાંભળીને પુત્ર બોલ્યો-“ પિતાજી ઠીક છે, તો પછી મને મારીને આપને પુત્ર થશે કે નહિ, અથવા કેવો થશે, એનો આપે કેમ ભરોસો કર્યો છે? આ સાંભળીને ખેડૂત શરમાઈ ગયો. અને બન્ને મળીને ઘેર ગયા માટે સ્વામિન ! પ્રસન્ન થાવ. શા માટે આપણી મજાક થાય તેવું કરો છો ? આ પ્રમાણે પદ્મશ્રીએ જ્યારે પોતાની ચાતુરી બતાવી ત્યારે સ્વામીએ કહ્યું–“હું સુન્દરી ? સાંભળો, મહાનદીના કિનારા ઉ૫૨ એક મરેલો હાથી પડયો હતો. ઘણા કાગડા તેને ચાંચ મારી મારીને ખાતા હતા. અચાનક પૂર આવવાથી તે મડદું પાણી ઉપર વહેવા લાગ્યું. એટલે ઘણા ખરા કાગડા તો ઉડી ગયા પરંતુ એક અતિશય લોભી કાગડો તેને ખાતો ખાતો તેની સાથે જ તણાવા લાગ્યો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57